રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટીના 700 થી વધુ મિત્રો પોતાના ઘર આંગણે ફૂલ છોડ અને શાકભાજી ઉગાડતા મિત્રોને મળે છે ગાર્ડનીંગથી થતા ૭ ફાયદા
૧. બાગકામ સ્ટ્રેસથી મુક્ત કરે છે.
૨. બાગકામ થી શારીરિક કસરત થાય છે.
૩. કિચન ગાર્ડનીંગથી હેલ્ધી ઓર્ગનિક શાકભાજી મળે છે.
૪. બાગકામથી તમારો મૂડ અને આત્મવિશ્વાસ વધે છે.
૫. બાગકામના લીધે બીજા સાથે જોડાણ થાય છે.
૬. બાગકામથી સ્ફૂર્તિ અને આનંદ મળે છે
૭. બાગકામથી સફળતાની ખુશી મળે છે.
આજકાલ ઘેરબેઠા ઓર્ગનિક શાકભાજી ઉગાડીને ખાવા જરૂરી છે ત્યારે પોતાના ઘરે કિચન ગાર્ડન કરીને રોજ જરૂરી શાકભાજી કે હર્બ ઉગાડીને લાભ લેવો જોઈએ
આ માટે સહેલો અને ઉમદા ઉપાય છે ગ્રોબેગમાં ગાર્ડન કરવો ,
શું છે આ ગ્રોબેગ ગાર્ડન ?
શાકભાજી કે ફૂલછોડ વાવેતર સપાટ ક્યારા કે માટીના વજનદાર કુંડા અથવા પલાસ્ટીક કે સીરામીક ના વજનદાર ફેરવીના શકાય તેવા કુંડાને બદલે ગ્રોબેગ ગાર્ડન કરવા જોઈએ
ગ્રોબેગ એ જાડા કાપડ કે પાતળા મજબૂત યુવી સ્ટેબિલાઇઝ પ્લાસ્ટિકના બઝારમાં સહેલાઇ થી મળે છે
ગ્રોબેગ આજકાલ ખુબ પ્રખ્યાત થયેલ છે પરંતુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે ગ્રોબેગ એગ્રી પ્લાસ્ટિક માંથી અથવા બ્રીધેબલ કાપડમાંથી બનેલ હોય
ગ્રોબેગ ના લાભાલાભ
હેરફેરમાં સરળ : ગ્રોબેગ આંગણામાં કે ઘરમાં મુકેલ હોય ત્યાંથી હેરફેર કરવી સરળ હોય છે કારણ કે વજનમાં હળવી હોય છે
હેલ્ધી છોડનો વિકાસ : ગ્રોબેગમાં પોટમીક્ષ વાપરવાનું હોવાથી જમીનના નઠારા ગુણો આવતા નથી તેથી છોડનો વિકાસ વધુ સારો થાય છે .
મૂળનો સારો વિકાસ : ગ્રોબેગના પોટમીક્સની સારી ક્વોલિટીના લીધે મૂળ નો સારો વિકાસ થાય છે
ગ્રોબેગમાં શું શું ઉગાડી શકાય ?
ગ્રોબેગમાં નીચેમુજબનાં પાક વાવીશકાય અને ગ્રીન સલાડ નો રોજ લાભ લઇ શકાય
અરુગુલા
મૂળ
લાલ મૂળા
પાલખ
લેટ્ટસ
ગાજર
સ્ટ્રોબેરી
બીટ
તાંજલીયો
મેથી
કોથમીર
ગ્રીન ડુંગળી
ગ્રીન લસણ
બેસિલ
સિલાન્ટ્રો
ડીલ
પારસલી
ઓરેગાનો
રોઝમેરી
લેમન ગ્રાસ અને બીજા શાકભાજી
ગ્રોબેગ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક નો સંપર્ક કરો 9825229966 અથવા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT ફેસબુક સર્ચ કરો લાઈક કરીને ડિસ્કાઉન્ટ મેળવો .
આપણે ઘર આંગણે કિચન ગાર્ડન શા માટે કરીએ ? જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ દ્વારા ઓર્ગેનિક શાકભાજી આપણે રસોડામાં વાપરવું છે. તમે સ્ટરીલાઈઝ્ડ કર્યા વગરનું ભીનું કોકોપીટ લો તેમાં નઠારા તત્વો, અને ગંદા પાણી સાથે નુકસાનકારક બેક્ટેરિયા અને ફૂગ આવી જાય તો આપણા છોડ જમીનજન્ય રોગ લાગી શકે છે.
ટૂંકમાં આટલી મહેનત કરીએ છીએ અને પાછા નબળું પોટમિક્ષ કે કોકોપીટ વગેરે ઉપયોગ કરીએ તે કેમ ચાલે ? ઓર્ગનિક કિચન ગાર્ડનિંગ માં જરૂર ના હોય ત્યાં કરકસર ના કરો .
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા કિચન ગાર્ડનિંગ RKGC ચેનલમાં જોડાવ.
આપણે ઘરે આંગણે શાકભાજી વાવવા હોય તો દેશી બીજ અથવાતો ઉત્તમ સારા બીજ હવે બઝારમાં મળે છે . આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કરતા બહેનોના ક્લબને પ્રોત્સાહિત કરતા પ્રવીણભાઈ પાસે થી આપણે ખુબ સારી મદદ મળે છે તે બદલ પ્રવીણભાઈ - પટેલ એગ્રો વાળા નો ખુબ ખુબ આભાર ,
તમે જો કિચન ગાર્ડનિંગના બિગિનર હો તો તમે ખુબ સારી માહિતી તમને પટેલ એગ્રો ભૂતખાના ચોક માં છે ત્યાં મળી જશે , જેવીકે કોકોપીટ કેટલું વપરાય , સેન્દ્રીય ખાતર એટલે શું ? શરૂઆતમાં પાંદડા વાળા ભાજી પત્તાં કેમ કરાય ? શાકભાજી વાવેતરમાં શું કાળજી રાખવી ? જીવાત આવે તો વગર દવાએ કેમ દૂર કરવી ? આવું આવું માર્ગદર્શન બીજા ક્લબના મેમ્બરની જેમ તમે પણ લાભ લઇ શકો .
📙 - ટેલીગ્રામ ચેનલ :
https://t.me/prohomegarden
વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બને ?
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સમજો તો સમજાય કે બજારમાં 20 રૂપિયે કિલો વેંચતા
વર્મીકમ્પોસ્ટ કેવા હોય ?
ચાલો સમજીયે અળસિયાની કમાલ ને !
અળસિયા નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. પુખ્ત અળસિયા દર પંદર થી વીસ દિવસે સમુહમાં ઈંડા મુકે છે. જેને ʻકકુનʼ કહે છે. જેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાને ઊંઘ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી/ સેન્દ્રિય પદાર્થ ખાય છે. દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે. અને હગાર બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે. જેમાં સામાન્ય જમીન કરતા પાંચ થી દસ ગણા લભ્ય પોષક તત્વો હોય છે. આમ અળસિયું ખેતીમાટે વરદાન છે .
અળસિયા પોતાના શરીરમાંથી જે હગાર બહાર કાઢે છે તેને વર્મીકાસ્ટ કહે છે. અળસિયાથી બનાવેલ ખાતરને વર્મીકમ્પોસ્ટ કહે છે. તથા કમ્પોસ્ટીંગની પ્રક્રિયા દરમ્યાન એકઠા કરેલ પ્રવાહીને વર્મીવોસ કહે છે. અને અળસિયાના ઉછેરને વર્મીકલ્ચર કહે છે.
પટેલ એગ્રો રાજકોટ તેના સેમિનારમાં વર્મીકમૉસ્ટ ખાતર બનાવવા માંગતા ખેડૂતોને કહે છે કે વર્મિકંપોસ્ટ યુનિટમાં આશરે ૪૫ થી ૫૦ દિવસે તેના યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગનાં દાણા જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવા દાણાદાર પાવડરની તૈયાર થાય છે . આ વખતે ચાર-પાંચ દિવસ સુધી યુનિટમાં પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મીબેડમાં નીચે જતા રહેશે. ઉપરના થરનો દાણાદાર પાવડર હળવા હાથે વર્મીબેડને અડચણ કર્યા વગર અલગ કરી .શંકુ આકારનો ઢગલો કરી લેવો જેથી અળસિયા નીચેના ભાગમાં જતા રહેશે . આ એકઠા કરેલ દાણાદાર પાવડરના જથ્થાને છાયા વાળી જગ્યાએ આશરે ૧૨ કલાક રાખો ત્યાર બાદ પેકીંગ કરી પોતાના ખેતર માં નાખી તમારી જમીન સમૃદ્ધ બનાવી વધુ સારો ઓર્ગનિક પાક મેળવો
વર્મીકમ્પોસ્ટ માં માટી નહિ અળસિયાની હગાર હોવી જોઈએ
ખેડૂતોના યુનિટમાં બનેલું પ્યોર ફળદ્રુપતા થી ભરપૂર વર્મીકમ્પોસ્ટ ખરીદવા માટે રાજકોટ નું સ્થળ છે
પટેલ એગ્રો સીડ્સ , ભૂતખાના ચોક ,
ઢેબર રોડ , રાજકોટ 9825229766