આજે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ઉત્સાહી મિત્રોએ ફ્રી ઓર્ગેનિક બીજ મેળવી ખુશી અનુભવી.
ધન્યવાદ,
અમુકમિત્રોના ફોટા આ સાથે સામેલ છે.
આ ચોમાસે જાતે ઉગાડેલા શાકભાજી પકવો તેવી શુભેચ્છા.
આજે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ઉત્સાહી મિત્રોએ ફ્રી ઓર્ગેનિક બીજ મેળવી ખુશી અનુભવી.
ધન્યવાદ,
અમુકમિત્રોના ફોટા આ સાથે સામેલ છે.
આ ચોમાસે જાતે ઉગાડેલા શાકભાજી પકવો તેવી શુભેચ્છા.
કિચન ગાર્ડનિંગ માં નોન-જીએમઓ બીજ સાથે ઓર્ગેનિક રીતે બાગકામ કરવું હંમેશા સારું છે. પરંતુ દેશી બીજ -દાદીમાનું બીજ એટલે કે વારસાગત બીજ, ઓર્ગેનિક લેબલ વિના પણ, મોટાભાગે રસાયણ મુક્ત હોય છે. બીજ કોઈપણ કિચન ગાર્ડનિંગ માટે પ્રારંભિક બિંદુ છે - દેશી બીજ- દાદીમાનું બીજ. આવા બીજનો ડી એન એ તમને પ્રાપ્ત થનાર સ્વાદિષ્ટ શાકભાજી પેદાશનું કદ અને ગુણવત્તા નક્કી કરે છે. આપણે દેશી કહીયે છીએ તે એટલે નેટિવ બીજ અથવા તો વારસાગત બીજ. ગામડામાં તેને દાદીમાએ સાચવેલું બીજ પણ કહે છે .
અમારા એગ્રોનોમીસ્ટ PRAVIN PATEL દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન જોય ઓફ ગાર્ડનિંગ સેમિનાર યોજાતા હોય છે. તારીખ 5 જુલાઈના રોજ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રોટરી ભવનમાં 170 થી વધારે મિત્રો જાતે પકવો જાતે ખાવ મુમેન્ટમાં જોડાયા . આ સેમિનાર માં ઘર આંગણે કુટુંબની જરૂરિયાત પૂરતા શાકભાજી ઉગાડવાની સરળ રીત અને ઓર્ગનિક શાકભાજી ઉગાડવા શું કરવું તેની માહિતી આપવામાં આવી અને પટેલ એગ્રો દ્વારા ઉત્સાહી ભાગલેનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
આ સેમિનાર દ્વારા બધાને પ્રકૃતિ સાથે જોડવામાં મદદ કરી શક્યા તેનો અમને ગર્વ છે અમે કેમિકલ કે જંતુનાશકો વગર ખોરાક ઉગાડવો શા માટે જરૂરી છે? રસોડાના ભીના કચરાનું વ્યવસ્થાપન કેમ કરવું ? આ બધું આપણે સમજ્યા તે તમારા મિત્રોને કહીને ચાલો રાજકોટ માં જાતે પકવો જાતે ખાવ એટલેકે grow your own food concept સફળ બનાવીયે . વધુ માહિતી અને કિચન ગાર્ડનિંગ ને લગતી નિયમિત માહિતી મેળવવા તમારા મિત્રોને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT માં જોડો .
વધુ જાણવા માટે સંપર્ક કરો. 9825229966
GARDENING RKGC WHATSEPP ગ્રુપમાં જોડાયેલા રહો


આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવા તો સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે ચાલો વિચારીએ કે આપણે ક્યાં ક્યાં ભૂલો થાય છે .
ભૂલ ૧:
સીધા (દુકાન) પર પહોંચી જવું: નવા કિચન ગાર્ડનર ઘણીવાર કોઈ આયોજન વગર સીધા સ્ટોર પર જઈને બિનજરૂરી વસ્તુઓ અને છોડ ખરીદી લે છે.તેના બદલે શું કરવું ? પહેલા તમારા ફળિયામાં ફરો, બગીચાનો પ્રકાર વિચારો અને આયોજન કર્યા પછી જ ખરીદી કરવા જાઓ.
ભૂલ ૨:
માત્ર એક જ છોડથી શરૂઆત કરવી: ઘણા માને છે કે 'નાની શરૂઆત' એટલે માત્ર એક છોડ, પણ એક જ છોડ કંટાળાજનક હોઈ શકે છે અને જો તે મરી જાય તો લોકો ગાર્ડનિંગ છોડી દે છે.તેના બદલે શું કરવું: બે ત્રણ કુંડામાં ૩ થી ૫ અલગ પ્રકારના છોડ ઉગાડો જેથી તે વધુ રસપ્રદ રહે.
ભૂલ ૩:

બીજની શરૂઆત: ચોમાસામાં પટેલ એગ્રોમાંથી લાવેલા દેશી બીજને ગ્રોબેગ કે કુંડામાં ૧/૪ ઇંચ ઊંડે વાવો. ૧૦ થી ૨૧ દિવસમાં અંકુર દેખાશે. અંકુર દેખાય એટલે તેને તડકા વાળી જગ્યા પાસે રાખો
ખાતર: ૩-૪ અઠવાડિયાના છોડ થાય ત્યારે જ હળવું ખાતર વર્મી કમ્પોસ્ટ આપો.
'ઓર્ગેનિક' તરીકે લેબલ મેળવવા માટેના કડક નિયમોનું પાલન કરવું પડે છે. આ ઉત્પાદનો ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પ્રતિબંધિત પદાર્થો વગર ઉગાડવામાં આવ્યા હોવા જોઈએ અને તેનું વાર્ષિક નિરીક્ષણ થવું જોઈએ.
જ્યારે ઘરના બગીચાની વાત આવે છે, ત્યારે 'ઓર્ગેનિક' શબ્દનો ઉપયોગ થોડી છૂટછાટ સાથે કરવામાં આવે છે. કારણ કે તમે તમારી જરૂરિયાત મુજબ પદ્ધતિઓ પસંદ કરી શકો છો. મહત્વનું એ છે કે તમે પર્યાવરણ પરની અસર ઘટાડવા માટે પગલાં લો.
પાકની ફેરબદલી: બગીચામાં વિવિધ પ્રકારના છોડ વાવો. દર વર્ષે એક જ જગ્યાએ એક જ પાક ન વાવો (Crop Rotation). આનાથી જમીનમાં જીવાતનો ભરાવો થતો નથી.
સાથે રોપણી (Companion Planting): જે છોડ એકબીજાને મદદ કરે તેને સાથે વાવો. જેમ કે, ટામેટાં સાથે ગલગોટા (Marigolds) વાવવાથી જીવાત દૂર રહે છે.
જીવાત અને રોગ પ્રત્યે જાગૃતિ: ઓર્ગેનિક ગાર્ડનિંગનો અભિગમ જીવાતોના સંપૂર્ણ નાશને બદલે તેના 'વ્યવસ્થાપન' (Management) પર છે. સમય જતાં, જ્યારે તમારા બગીચામાં ફાયદાકારક જીવજંતુઓ વધશે, ત્યારે નુકસાનકારક જીવાતો આપોઆપ ઘટશે.
કચરાનું આયોજન: સૂકા પાંદડા, લાકડીઓ અને કાપેલા ઘાસને ફેંકી દેવાને બદલે તેને ફરીથી માટીમાં ભેળવી દો અથવા તેનું કમ્પોસ્ટ બનાવો. આનાથી માટીના સૂક્ષ્મ જીવોને ખોરાક મળે છે.
ઓર્ગેનિક ગાર્ડનિંગ એ વધુ ટકાઉ (Sustainable) જીવન જીવવાની માત્ર એક શરૂઆત છે.

જો તમે સોઈલલેસ મીડિયમ (જેમ કે કોકો પીટ + પરલાઇટ) વાપરો છો, તો તમે તમારા મિશ્રણમાં સૂકા જૈવિક પોષક તત્વો ભેળવો જેમ કે ૫૦% કોકોપીટ સાથે ૩૦% પરલાઇટ અથવા વર્મીક્યુલાઇટ (હવા અવરજવર માટે) અને ૨૦% વર્મીકમ્પોસ્ટ અળસિયાનું ખાતર ઉમેરો .સાથે જીવાતો રોકવા અને ધીમે ધીમે ફોસ્ફરસ મેળવવા માટે કુંડા દીઠ ૧ ચમચી લીમડાનો ખોળ અને ૧ ચમચી બોન મીલ ઉમેરો.
pH લેવલ: મોટાભાગના છોડ ૫.૫ થી ૬.૫ ની વચ્ચે સારી રીતે વધે છે. જો pH ખૂબ વધારે કે ઓછો હોય, તો પોષક તત્વો હાજર હોવા છતાં છોડ "ભૂખ્યો" રહે છે.
EC/TDS: આ તમારા દ્રાવણની "તીવ્રતા" માપે છે.
પાંદડાવાળી શાકભાજી: 800–1200 ppm
ફળ આપતા છોડ: 1500–2500 ppm
પ્રો-ટિપ: હંમેશા "ડી-ક્લોરિનેટેડ" પાણીનો ઉપયોગ કરો. જો નળના પાણીનો ઉપયોગ કરતા હોવ, તો તેને ૨૪ કલાક સુધી બહાર રહેવા દો જેથી પોષક તત્વો ઉમેરતા પહેલા ક્લોરિન ઉડી જાય.
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC સ્થાપક પ્રવીણ પટેલ અમારા એગ્રોનોમીસ્ટ પણ છે. જે જૈવિક પદ્ધતિ દ્વારા ઓર્ગેનિક ગાર્ડન દ્વારા જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ દ્વારા GROW YOUR OWN FOOD અને પોટ મીક્ષના નિષ્ણાત છે.
અનુભવ: એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલ વર્ષોથી કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે અને દર સોમવારે ફૂલછાબ માં “બોલકી વાડી” અને કૃષિ પ્રભાત માં “આજની ખેતી “ કોલમના લેખક છે અને “કૃષિ વિજ્ઞાન” કૃષિ મેગેઝીનના સંપાદક છે . કિચન ગાર્ડનિંગ અને ગાર્ડન કમ્પોસ્ટિંગ વિષે RKGCના ટ્રેનર છે. ખેડૂતો માટે પાક ઉત્પાદન ને લગતા અને “ચિલિ કી પાઠશાળા” અને “સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ” વર્કશોપ યોજી ચુક્યા છે .બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડન માટે આગામી સેમિનાર માં તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન ભાગ લઈને પોતાના શાકભાજી સહેલાઇ થી ઉગાડી શકો છો .
આજે ભારતમાં નવી ખેતી પદ્ધતિ પુનર્જીવિત ખેતી પદ્ધતિ (Regenerative Farming) ખેતીની વિદેશની જેમ શરૂઆત થઇ છે .ભારતના ખેડૂતો આજે માટી-આધારિત ખેતીના મજબૂત સિદ્ધાંતો તરફ પાછા વળી રહ્યા છે . બહુ રાસાયણિક ખાતરો વાપરીને જમીનની જીવંતતા પર પ્રશ્નો ઉભા થયા છે એટલે તે જમીનને ફરી જીવતી રાખવા માટે સેન્દ્રીય તત્વો અને જૈવિક ખાતરો તરફ પાછા વળ્યાં છે. અમે માનીએ છીએ કે જમીનને પુનર્જીવિત કરવા અત્યંત મહત્વની છે, પછી તે શહેરમાં હોય કે ગામડાના ખેતરમાં.વિશ્વભરમાં માટી નિર્જીવ થઈ રહી છે અને તેને પુનર્જીવિત કરવાના વૈજ્ઞાનિક અને જૈવિક રસ્તાઓ છે .
GARDENING RKGC RAJKOT દ્વારા અમે તમારા બગીચાની માટીને કેવી રીતે ફરીથી જીવંત કરવી અને તે પણ સરળ રીતે પોષક તત્વોથી ભરપૂર માટી બનાવવામાં તમને મદદ કરીએ છીએ. જેથી તમે તમારી બાલ્કની કે છત પર સ્વસ્થ અને પૌષ્ટિક શાકભાજી અને સેલડ મેળવી શકો.
પટેલ એગ્રો ભૂતખાના ચોક અને RKGC ફેસબુક ગ્રુપ સાથે તમારો પોતાનો ખોરાક ઘર આંગણે ઉગાડવાની શરૂઆત કરો. અમે તમને તમારી હરિયાળી જગ્યાને સમજવામાં અને તમારો પોતાનો ખોરાક (શાકભાજી/ફળ) ઉગાડવામાં મદદ કરીએ છીએ. જગ્યા ભલે નાની કે મોટી હોય, જો તેનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો ત્યાં ભરપૂર શાકભાજી મેળવી શકાય છે.ઓર્ગેનિક એટલે કે પરંપરાગત દેશી બીજ- દાદીમાનું બીજ વાવતા પહેલા તમારી જગ્યામાં યોગ્ય હવાની અવરજવર (Ventilation), કેટલો સમય ત્યાં સૂર્યપ્રકાશ મળે છે તે જાણવું , પાણી અને માટીનું આયોજન કરવું સૌથી મહત્વનું છે. અને આ બાબતમાં અમે અમારું માર્ગદર્શન મેળવી શકો છો .
વધુ માહિતી માટે Gardening RKGC whatsapp ચેનલ સાથે જોડાવ 9825229966
ઓનલાઈન કે ઓફલાઈન JOY OF GARDENING SEMINAR RAJKOT રજીસ્ટ્રેશન માટે વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26 ફોર્મ ભરી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
દેશી બીજ કોને કહેવાય શું બજારમાં મળતા બીજ દેશી હોઈ છે ખરા ?
ના,દેશી બીજ મેળવવા આજે ઘણા મુશ્કેલ છે.દેશી બીજ એટલેકે વારસાગત બીજ એ સ્વપરાગીત બીજ છે.આવા શાકભાજીઓ અને ફૂલ છોડની જાતની પેઢી દર પેઢી પસાર થાય છે છતાં પોતાની આનુવાંશિકતા પ્રમાણે શ્રેષ્ઠ સ્વાદ, રંગ અને અનન્ય લક્ષણ જાળવી રાખે છે.
દેશી બીજ દાદીમાનું બીજ ફરી ફરી વાપરી શકાય છે.આવા બીજમાં વિવિધ સાઈઝના ફળો આવે છે તે તેની લાક્ષણિકતા છે .આપણા દેશી બીજમાં પોતાનો સ્વાદ અને સુગંધ અનોખો જાળવી રાખે છે, હા કદાચ એવું બને કે આધુનિક હાઈબ્રીડ બીજ કરતા તેમાં રોગ પ્રતિકારક શક્તિનો અભાવ હોઈ શકે છે. આવું બીજ આપણે RKGC કોમ્યુનિટી ના આગ્રહ થી આખા ભારતમાંથી દાદીમાનું બીજ ખુબજ સીમિત માત્રામાં ઉપલબ્ધ થવાની ધારણા છે.
વહેલાતે પહેલા ના ધોરણે આપણે પટેલ એગ્રો 9825229766 ના માધ્યમથી ફક્ત નોંધાવેલા સભ્યોને આપીશું .આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
કદાચ તમે તમારા આંગણા માં શાકભાજી ઉગાડવા માંગતા હો અથવા હમણાં જ તમે બાલ્કની વાળા ફ્લેટમાં રહેવા ગયા છો તેમાં પોતાનો 'કિચન ગાર્ડન' બનાવવો છે તે ખુબ સારો વિચાર છે તમારાં ઉત્સાહ ને અભિનંદન. શરૂઆત ક્યાંથી કરવી ? ચાલો હું તમને સાવ સહેલું કરી આપું . હું પ્રવીણ પટેલ RKGC રાજકોટ અને પટેલ એગ્રો રાજકોટનો એગ્રોનોમીસ્ટ છું. તમને જરૂર મદદ કરીશ જેથી તમને શરૂઆતથી જ તાજા શાકભાજીની ભેટ મળતી રહે
બારીની ગ્રીલ પર નાના બોક્સમાં ગાર્ડન બનાવવાથી લઈને ઓર્ગેનિક ફળો અને શાકભાજી ઉગાડવા માટે આખું કિચન ગાર્ડનિંગ વિકસાવવા સુધી RKGC રાજકોટ દ્વારા અર્બન ગાર્ડન તમને ઘરે બેઠા ખોરાક ઉગાડવાનું તમારું સપનું સાકાર કરવામાં મદદ વોટ્સએપ દ્વારા વિના મુલ્યે મદદ કરશે.
આજેજ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ અને આગામી joy of gardening seminar રાજકોટમાં ૫ જુલાઈએ છે તેમાં ભાગ લેવા અત્યારે જ વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26 ત્યાર બાદ મેસેજમાં આવેલ ફોર્મ ભરી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
તમારા પોતાના બગીચામાં આખું વર્ષ સલાડ મેળવવો છે , બારે માસ લીફી વેજીટેબલ સલાડ પુરા ફેમિલી માટે રોજ રોજ કટ કરવો છે ? તો જરૂર તમે તેમાં સફળ થઇ શકો છો. આજેજ તમે તેનું કેલેન્ડર બનાવો .
તમારે તમારા વિસ્તારના હવામાન મુજબ તારીખોમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે.આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ગ્રોબેગ | શું કરવું... |
ગ્રોબેગ -1 | લેટીસના બીજ સીધા માટીમાં વાવો |
ગ્રોબેગ -2 | પાલક (Spinach) ના બીજ સીધા માટીમાં વાવો. |
ગ્રોબેગ -3 | ફુદીના ના છોડ સીધા માટીમાં વાવો. |
ગ્રોબેગ -4 | લેટીસ (બેચ ૨) ઉગાડવાનું બીજા અઠવાડિયે શરૂ કરો. |
ગ્રોબેગ - 5 | કોથમીરનું વાંઢીયુ બીજ ફાડા સીધા માટીમાં વાવો |
ગ્રોબેગ - 6 | મેથી જાવરા બીજ સીધું માટીમાં વાવો |
ગ્રોબેગ - 7 | ઇટાલિયન હર્બ નું બીજ સીધું માટીમાં વાવો |
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates