My Organic garden

હોમ ગાર્ડનની જરૂરિયાત

ગાર્ડન ટુલ્સ

ગ્રો બેગ

Total Pageviews




સામાનની ચિંતા ન કરો કઈ નહિ હોય તો પણ ચાલશે 
આ ચોમાસે થોડી શરૂઆત કરો પછી 
જરૂર પડે તો સાધનો ખરીદજો થોડી અગત્યની વાતો નોંધો 

શાકભાજીના ઓર્ગેનિક (દેશી)  બિયારણ, 
સુકું છાણીયું ખાતર અથવા અળશિયાનું જૈવિક ખાતર,
કુંડા અથવા ગ્રોબેગ,
-  કોકોપીટ, 
-  સારી કાળી અથવા લાલ માટી,  
-  પાણી નો ઝારો , નાનો મીની સ્પ્રે પંપ
-  નકામી ટવિગ કે પાન કાપવા સિકેટર 


ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966



_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : 





Purna Organics: Set Up An Organic Garden | LBB, Bangalore





આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય .

શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે કે અગાશીમાં મોટી સાઇઝના કુંડાઓ અથવા મીડીયમ સાઈઝના લાકડાની પેટીઓમાં (આવી પેટીઓ આપણને ઓટોમોબાઇલ ડીલર પાસેથી ખૂબ જ નજીવા ભાવે મળી શકે કારણ કે તેમને આવી પેટીઓમાં દીલ્હીથી ઓટો પાર્ટસ આવતા હોય છે.) અથવા હવે તો બધા ગ્રોબેગમાં શાકભાજી ઉગાડે છે . ગ્રોબેગ અને પોટ મિક્સ તમને તમને રાજકોટ માંથી પટેલ એગ્રો માંથી મળી જશે .

 ગ્રોબેગમાં કે કુંડામાં અને લાકડાની પેટીમાં નીચે કાકરા અને ઉપર ૩૩ % અળશીયા દ્વારા તૈયાર થયેલું વર્મી કંપોસ્ટ, ૩૩ % સેન્દ્રીય ખાતર અને ૩૩% સારી ખેતરાઉ માટીનું મીશ્રણ કરી કુંડા અને લાકડાની પેટી ભરી દેવી જોઇએ જો લાકડાની પેટીમાં વચ્ચે બહું મોટી જગ્યા હોય તો કાળા પ્લાસ્ટીકમાં નીચેના ભાગમાં પંચથી કાણા પાડીને વધારાનું પાણી નીકળી જાય તે માટેની વ્યવસ્થા કરી આવા કાળા પ્લાસ્ટીકને લાકડાના ખોખા માં પાથરીને તેમાં ઉપર પ્રમાણેની સપ્રમાણ મિશ્રણ ભરી તૈયાર કરવા જોઇએ. છત ઉપર કુંડા રાખવા હોય તો છત ઉપર વોટર પ્રુફીગ ખાસ કરાવી લેવું જોઇએ. જેથી કુંડામાંથી રોજે રોજ નીકળતા વધારાના પાણીને લીધે છતમાં ભેજ ઉતરે નહી. 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966








સરસ નિર્ણય છે, ચોમાસામાં શાકભાજી વાવીને તમે ચોક્કસ સફળ થશો. નીચેની થોડી વાતો વિચારી રાખો અથવા તૈયારી કરી રાખો. અમારી પાસેથી ઓર્ગેનિક બીજ લઇ જાવ અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડો, જાતે પકવો જાતે ખાવ. 
  1. ૬ થી ૮ કલાકનો સૂર્ય પ્રકાશ મળતો હોય તે જગ્યા પસંદ કરો.
  2. જગ્યા  પાણીના નળની નજીક હોય તે ઇચ્છનીય  


ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966

 

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden







 
મહેનત રંગ લાવશે , આનંદ મળશે , પ્રયાશ કરો , 

કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની બાલ્કની, લોબી, વરંડો, અગાસી કે આસપાસની નકામી જમીન કે વાડાનો સદુપયોગ કરી શકાય છે. 
 
ઘરના વપરાશ માટે તાજા દવા રહિત અને મનપસંદ શાકભાજી મેળવી શકાય 
 
રોજબરોજની શાકભાજી કિચન ગાર્ડનમાંથી ઉપલબ્ધ થતી હોય ઘરખર્ચ ઘટાડી શકાય છે. 

ઘરની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખી શકાય . 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen






જે પોષણ અને શહેરી ઉધ્યાનો વિકસાવવામાં ફાળો આપવા, શહેરી ગરમીની અસરમાં ઘટાડો કરવા પરીવહન ખર્ચ ઘટાડવા તેમજ લાંબી અન્ન પરીવહન સાંકળોમાંથી થતો બગાડ ઘટાડવા વગેરે જેવા સંભવિત લાભો સાથે શહેરના રહેવાસીઓને અન્ન અને રોજગારી પૂરી પાડે છે.જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ આપણે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી પણ આ સેવા આપી રહ્યું છે . તમે પણ એમાં રસ ધારાવાઓ છો તે બદલ rkgc આપનો આભાર મને છે . 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966










Home Vegetable Gardening. Site selection What to grow Starting ...

ઘર આગણે શાકભાજી ઉગાડવા માટે સ્થળની પસંદગી ખુબ અગત્યની છે. સ્થળની  પસંદગી માં ચાર વાતો ખુબ અગત્યની છે ,

છ થી આઠ  કલાક નો સૂર્યપ્રકાશ ,
પાણી ઉપ્લબધિ ,
ગાર્ડન ટૂલ્સનો સ્ટોરેજ
અને ફળદ્રુપ માટી અથવા પોટ મિક્સ ,

જ્યાં કુંડા રાખવાના હોય ત્યાં પૂરતો  સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. ઉનાળામાં વધુ તીવ્ર્ સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્ય પ્રકાશને રોકવા માટે ગ્રીન નેટ  લગાડી શકાય. ૨૦ થી ૩૦ ચોરસફૂટની જગ્યાની ટેરેસ હોય ત્યાં પણ હોમ ગાર્ડેન ઉછેરી શકાય છે. વધુ વિગતો આપ બ્લોગ માં વધુ વાંચતા રહો 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966



📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ :
















લેન્ટેના 
આપણે ત્યાં તેને ગંધાતી પણ કહે છે , જંગલી જાતો તમને ખેતરની વાડોમાં જોવા મળશે 
આ એક નિંદામણ છે 
ડવાર્ફ જતો બગીચાની કિનારીઓ માં લગાવવામાં આવે છે 
પાન બરછટ હોવાથી પશુ ખાતા નથી 

સંવર્ધન :
કટકા કલમ

ફૂલ નો રંગ :
પીળા, સફેદ, લાલ, ભુરા, કેસરી

નોંધ :
કિનારીઓ,વાડ બનાવવામાં ઉપયોગી છે.












અંગ્રેજી નામ : Lettuce


વૈજ્ઞાનિક નામ  Latuce sativa L.


વતન : Mediterraneam


કુળ : Composite


આ એક અગત્યનો લીફી વેજીટેબલ પાક છે. આપણે ત્યાં પાંદડાવાળી શાકભાજી સલાડ તરીકે તાંજલીયો , મેથી , લેટસ ,પાલખ ,બ્રોકોલી , લાલકોબી ,બીટની ભાજી , ડુંગળી , લસણ વગેરે બિયારણ પટેલ એગ્રોમાં 9825229766 માં મળે છે આ સિઝનમાં આપણું કોમ્યુનિટી રાજકોટ કિચન ગાડૅનિન્ગ કોમ્યુનિટી RKGC ના મેમ્બરોએ પોતાના કુંડામાં વાવ્યા છે તેમને અભિનંદન


 



હવામાનઃ

    આ પાકને ઠંડુ હવામાન વધુ માફ્ક આવે છે. લેટ્યુસના બીજ 40થી 45 ફેરન હીટે ઝડપથી ( 4 થી 5દિવસમાંક સ્ફુરણ પામે છે. ઉષ્ણ વિસ્તારમાં બીજ તેની સ્ફુરણશક્તિ ગુમાવે છે. લેયુસની કેટલીક જાતો ઊંચા ઉષ્ણતામાને બીજની દાંડી ફૂટે છે. જેના કારણે દડા તથા પાનની ગુણવત્ત ખરાબ થાય છે.


કાપણી અને કાપણી પછી વ્યવસ્થાપન:

     જ્યારે મથાળું પૂર્ણ વિકસિત થાય છે ત્યારે છોડની કાપણી કરવામાં આવે છે. સારી કાપણી કરવા માટે વરસાદ અથવા ઝાકળમાં કાપણી ટાળવી જરૂરી છે કારણ કે ફૂલેલા પાન ખૂબ જ કકરા બને છે અને હાથ લગાવતા સરળતાથી તૂટી જાય છે. રોગ અને ઈજાગ્રસ્ત પાન કાઢી ગ્રેડિંગ કરીને લેયુસને બજારમાં મોકલવામાં આવે છે.


ઉત્પાદન:

    લેયુસ રેફીજરેટરમાં ૩ - ૪ અઠવાડિયા માટે સંગ્રહ કરી શકાય છે. કાપણી પહેલાં કે કાપણી પછી આઈ.બી.એ.નો ૫ - ૧૦ પી.પી.એમ.નો છંટકાવ કરવાથી લેટ્યુસની ટકાઉ શક્તિમાં સુધારો થાય છે.



વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરી શકો 







તમારા છોડમાં કાળી - પીળી ચુસીયા જીવાંત મોલો આવી છે ? 
તમારા છોડ ઉપર સફેદ માખી આવી છે  ? 
પટેલ એગ્રો રાજકોટના ઉત્કૃષ્ટ ફ્લેવર વાળા 
ઓર્ગનિક  દેશી બીજ માંથી તંદુરસ્ત ઉત્પાદન લેવા માટે  
દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ  સ્પ્રે કરો 
1 લીટર પાણીમાં 4 મિલી નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ  + ½ ટી સ્પૂન  હળવો સાબુ પાવડર .
  • સારી રીતે હલાવો.
પાંદડાં પર (ઉપર અને નીચે) દર અઠવાડિયે નિયમિત રીતે છાંટતા રહો  અથવા દર 3 દિવસે સક્રિય જંતુઓ માટે સ્પ્રે બાયો પેસ્ટીસાઇડ નો સ્પ્રે કરો.  

એઝારીડેક્ટિન  ૧૫૦૦ પીપીએમ એ એક  લીમડા આધારિત જૈવિક-જંતુનાશક છે જેમાં પ્રતિ મિલિયન (અથવા ૦.૧૫%) ૧૫૦૦ ભાગો હોય છે, જે કુદરતી જંતુ નિયંત્રણ સંયોજન છે, જેનો ઉપયોગ ચૂસનારા અને ચાવનારી  જીવાતોને નિયંત્રિત કરવા માટે ખેતીમાં વ્યાપકપણે થાય છે.


વધુ વિગતમાટે પટેલ એગ્રો એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરો 9825229966
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




Older Posts Home

હોમ ગાર્ડન ની જરૂરિયાત

બીજ ની પસંદગી

છોડ સંરક્ષણ

Advertisement

SUBSCRIBE & FOLLOW

Powered by Blogger.


Photo courtesy : google Image
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ:


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates