મેરીગોલ્ડ હાયબ્રીડના ફૂલો એક સરખા અને મનમોહક હોય છે , આને આપણે ગલગોટા કહીયે છીએ , યુનિફોર્મ આકાર ના મેરીગોલ્ડ આપણા વિસ્તાર માં આરામ થી ચોમાસા થી શિયાળા સુધી ઉગાડી શકાય છે , મેરીગોલ્ડ ને આફ્રિકન મેરીગોલ્ડ કહે છે , કેસરી, પીળા અને મિક્સ એમ વિવિધ રીતે તેનું બીજ મળે છે , તેનું બીજ વજન માં સાવ હળવું હોઈ છે અને નાનકડું હોય છે તેથી પ્રો હોમ ગાર્ડન માં જયારે વાવો ત્યારે સાવ છીછરું વાવો અને પાણી આપો ત્યારે બીજ તેની જગ્યા થી ખસી ના જાય તેની કાળજી રાખો
બીજ ઉગી ગયા પછી એકબીજા છોડ નજીક હોઈ તો તેને ફાલ્કન ટ્રાન્સપ્લાન્ટર ટુલ્સ દ્વારા મૂળ સહીત ઉપાડીને તમે બીજે ટ્રાન્સપ્લાન્ટ કરો જેથી છોડ ને પૂરતી સ્પેસ મળવા થી છોડ વધુ તંદુરસ્ત અને વધુ ફૂલો લાંબા સમય સુધી આપશે , ગ્રો બેગ, બીજ અને પોટિંગ મિક્ષચર માટે પટેલ એગ્રો નો સંપર્ક કરી શકો
છોડ, કુંડા, કુંડામાં ભરવા માટેનું મિશ્રણઃ માટીઃ રેતીઃ પાંદડાનું ખાતર અથવા અળસિયાનું ખાતર (૧ઃ ૨ઃ ૧),
ચાળણી, ૧૦ થી ૨૨ ગેજનો કોપર વાયર, વાયર કટર, છરી અને સીકેટર , પાણી આપવાનો ડબ્બો અને ટબ, ટર્નટેબલ બોન્સાઈ માટે કુંડા કેવા હોવા જોઈએ ? : મોટે ભાગે ટેરાકોટા અથવા સિરામિક, કદમાં છીછરા અને નાના, ચોરસ/ગોળ/લંબચોરસ/અંડાકાર આકાર, પ્રાધાન્ય અંડાકાર / લંબચોરસ.
કદના સંદર્ભમાં બોંસાઈની શ્રેણીઓ
૧. મામી - ૨” થી ૬”
૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી, ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે જેથી તેમાં જીવાત ન થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ.
બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
માઇક્રો ગ્રીન એટલે પોષણનો ખજાનો
છોડમાં કુદરતે શક્તિ મૂકી છે કે જયારે તેની મૂળ અંકુરણ અને શરૂઆતની બે પાંદડાની અવસ્થા હોય ત્યારે તેની પાસે કુદરતી પ્રતિકૂળતા સામે લડવાની તાકાત ધરાવતા તત્વો ભરપૂર માત્ર માં હોય છે . આ અવસ્થા વખતે તેને આપણે કાપી લઈએ અને ખોરાકમાં લઈએ તો આપણને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડંટ મળે છે અને માઈક્રો ગ્રીન ઉગાડવા સાવ સહેલા છે .
- લાલ તાંદળજો : લાલ તાંદળજો મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે જેનો ઉપયોગ વાનગી પર સુશોભન કરવા માટે થાય છે.
- બીટ : બીટ આકર્ષક ઘાટાં લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. તે વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ, ગુણધર્મો અને વિટામિનથી ભરપુર છે.
- બ્રોકોલી : બ્રોકોલી વિટામિન્સ, મિનરલ્સ, ખનીજો, પાચક રસો, પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે, તે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે.
- સુવા : સુવા નાનો સૂક્ષ્મ, પીંછાકાર પર્ણ સમૂહ ધરાવે છે. અને લિજ્જતદાર સ્વાદ આપે છે. તે કાકડી, અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે.
મૂળા , મેથી , રાયડો , સૂર્યમુખી વગેરે પણ ઉગાડી શકાય
- લાઈફ લાઈન એ સૂક્ષ્મતત્વો ઉપર આધારિત સરસ પોષણ આપતું પ્રોડકટ છે
- છોડના વૃધ્ધિ/ વિકાસમાં મદદ કરે છે
- છોડમાં ઉભી થતી સૂક્ષ્મ તત્વોની ખામીને પૂર્ણ કરે છે
- છોડને હંમેશા તરોતાજા રાખે છે
- છંટકાવ અને જમીન કે કુંડામાં પાણી સાથે આપી શકાય છે
- 1 લીટર પાણીમાં 3 મિલી લાઈફલાઈન મિક્સ કરી છંટકાવ કરવો અથવા જમીનમાં પાવું
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
- જમીન ( માટી ) જન્ય ફૂગના કુદરતી નિયંત્રણ માટે
- જમીન કે કુંડામાં પડેલા સેન્દ્રિય ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે
- માટીમાં ઉપયોગી સૂક્ષ્મજીવની સંખ્યા વધારવા માટે
- માટી/જમીનની ફળદ્રુપતા વધારવા માટે
- જમીનનો pH સુધારવા માટે
- ઝેર મુક્ત જમીન બનાવવા માટે
- એક સ્કવેર ફૂટ જમીનમાં માત્ર 5 ગ્રામ પાણી કે સેન્દ્રિય પદાર્થ સાથે મિક્સ કરી આપવું
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
આપણા RKGC કોમ્યુનિટીના અમુક મિત્રો સીધું લીમડાનું તેલ (Neem Oil) વાપરે છે તે પાણી સાથે કુદરતી રીતે ક્યારેય એકબીજામાં ભળતા નથી. જો તમે માત્ર તેલ અને પાણી ભેગા કરીને છંટકાવ કરશો, તો તેલ પાણીની સપાટી પર તરતું રહેશે. પરિણામે, કેટલાક છોડ પર માત્ર પાણી જશે, જ્યારે કેટલાક છોડ પર સીધું તેલ પડવાથી પાંદડાં બળી જવાની શક્યતા રહે છે.
આ બંનેને એકબીજામાં સારી રીતે ભેળવવા માટે ઇમલ્સિફાયર (Emulsifier) નો ઉપયોગ કરવો ફરજિયાત છે.કયું ઇમલ્સિફાયર વાપરવું?ઓર્ગેનિક ખેતીમાં તમે નીચેનામાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો:
પ્રવાહી સાબુ (Liquid Dish Soap): સૌથી સરળ અને સસ્તો વિકલ્પ (માઈલ્ડ અને કેમિકલ-ફ્રી સાબુ વધુ સારો).
અરીઠાનું પાણી (Soapnut/Ritha Liquid): જો તમારે ૧૦૦% શુદ્ધ ઓર્ગેનિક ઉપાય જોઈતો હોય, તો અરીઠાને પાણીમાં ઉકાળીને બનાવેલું પ્રવાહી ઉત્તમ ઇમલ્સિફાયર છે.
સંપૂર્ણ દ્રાવણ બનાવવાની સાચી રીત નીચે જણાવેલ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે, જેથી તેલના નાના-નાના કણો પાણીમાં સમાન રીતે ભળી જાય:
1.સાબુવાળું પાણી બનાવો:એક નાની બોટલ કે ડબ્બામાં થોડું નવશેકું (હળવું ગરમ) પાણી લો. તેમાં પ્રમાણસર ઇમલ્સિફાયર (પ્રવાહી સાબુ અથવા અરીઠાનું પાણી) ઉમેરીને બરાબર હલાવો જેથી ફીણ વળે.
2.લીમડાનું તેલ ઉમેરો:હવે આ સાબુવાળા પાણીમાં તમારું માપેલું લીમડાનું તેલ ઉમેરો.
3.મિશ્રણને બરાબર હલાવો થોડી જ વારમાં તેલ અને પાણી મિક્સ થઈને દૂધ જેવું સફેદ અને ઘટ્ટ (Milky White) પ્રવાહી બની જશે. જો મિશ્રણ દૂધ જેવું સફેદ ન થાય, તો તેમાં હજુ થોડો સાબુ ઉમેરીને ફરી હલાવો..સામાન્ય રીતે ૧ લિટર પાણીમાં ૫ મિલી (ml) લીમડાનું તેલ અને ૧ થી ૨ મિલી સાબુ વપરાય છે.
આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો નીમ 1500 પીપીએમ લઈને છંટકાવ કરો.
ટેરેસ ગાર્ડન અને RKGC કમ્યુનિટીમાં ઓર્ગેનિક ખેતી કરતા મિત્રો માટે જયારે નીમ છાંટો છો ત્યારે પંપમાં પાણીનું pH લેવલ 5.5 થી 6.5 ની વચ્ચે લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બોરવેલ કે જમીનનું પાણી ઘણીવાર ક્ષારવાળું (આલ્કલાઇન) હોય છે. ઓર્ગેનિક દવાઓનું પૂરેપૂરું પરિણામ મેળવવા માટે નીચે મુજબના સસ્તા અને ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકાય:
૧. લીંબુના ફૂલ (Citric Acid): આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. કરિયાણાની દુકાને તે આસાનીથી મળી જાય છે. માત્ર થોડા દાણા (૧૫ લિટર પાણી માં અડધીથી એક ચમચી) ઉમેરવાથી pH લેવલ ઝડપથી નીચે આવી જાય છે.
૨. સફેદ સરકો (White Vinegar): રસોડામાં વપરાતો વિનેગર પણ હળવો એસિડ છે. એક લિટરના સ્પ્રે પંપમાં આશરે 1.5 મિલી જેટલો સરકો ઉમેરવાથી ફાયદો થાય છે.
૩. ખાટી છાશ અથવા જીવામૃત: ઓર્ગેનિક ખેતીમાં સારી રીતે આથો આવેલી ખાટી છાશ કે જીવામૃત પોતે હળવા એસિડિક હોય છે. તેને દ્રાવણમાં મિક્સ કરવાથી pH સુધરે છે અને છોડને વધારાનું પોષણ પણ મળે છે.
pH સેટ કરવાની સાચી રીત કોઈપણ વસ્તુ ઉમેરતી વખતે સીધી દવામાં ન નાખતા, નીચે મુજબની પદ્ધતિ અપનાવવી જેથી દ્રાવણ વધુ પડતું એસિડિક ન થઈ જાય:
1.પહેલા સાદા પાણીનું pH માપો:દવા ઉમેર્યા વગરના સાદા પાણીમાં pH પેપર (લિટમસ પેપર) બોળીને ચેક કરો કે તમારું પાણી કેટલું ક્ષારયુક્ત છે.
2.એસિડિક વસ્તુ ઉમેરો:ટાંકીના પાણીમાં અંદાજ મુજબ થોડી માત્રામાં લીંબુના ફૂલ અથવા સરકો ઉમેરીને તેને લાકડીથી બરાબર હલાવો.
3.ફરીથી માપો:ફરીથી pH પેપરથી ચેક કરો. જો કલર ચાર્ટ મુજબ pH 5.5 થી 6.5 (આછો પીળો કે લીલો રંગ) ની વચ્ચે આવી જાય, તો જ તેમાં તમારી મુખ્ય ઓર્ગેનિક દવા કે લીમડાનું તેલ (Neem Oil) મિક્સ કરો.
ટ્રાયકોડર્માં વિરીડી નામની ઉપયોગી મિત્ર ફૂગ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે , જે માટીમાં રહેલી નઠારી નુકશાનકારક ફૂગને ખાય છે. ટૂંકમાં ફૂગ- ફૂગને ખાય તેવી કુદરતી જૈવિક ફૂગનાશક છે. ખુબ ઉપયોગી મિત્ર ફંગસ છે જે મનુષ્ય ને જરા પણ હાનિ નથી કરતી .
તમારા કુંડા,ગ્રો બેગ અને બગીચા માટે ટ્રાયકોડર્માંનું નાનું પેકેટ લઇ આવો . આ મિત્ર ફૂગ નું સ્પૂન સપ્લીમેન્ટ- જૈવિક ફૂગનાશક મેળવવા પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક નો સંપર્ક કરો. 9825229966
એક ચમચી ટ્રાઈકોડર્મા એક લીટર પાણી સાથે મેળવી કુંડાને આપી દો. જૈવિક નિયંત્રણ કરો કુંડાની માટી સમૃદ્ધ બનશે .
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક યુઝર્સને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ઇન્ડોર પ્લાન્ટ ના અનેક લાભને ધ્યાનમાં રાખી આજે ઘરના ડ્રોઈંગ રૂમ અને બેડરૂમમાં
પ્લાન્ટ રાખવાનો શોખ વધ્યો છે કારણકે આવા છોડ આપણી તંદુરસ્તીને લાભ કરે છે અમુક છોડ
રાત્રે ઓક્સિજન આપતા હોવાથી ખુબ સારું પડે છે .
ઇન્ડોર પ્લાન્ટ માટે ટિપ્સ :
ઓછા પ્રકાશમાં થાય એટલે કે પરાવર્તિત પ્રકાશ તો જોઈએ જ .
દર 10 દિવસે સ્પૂન સપ્લીમેન્ટ આપવું પડે .
10 દિવસે એકવાર સૂર્ય પ્રકાશમાં પ્લાન્ટને રાખવો .
માટી અને કોકોપીટ નો ગુણોત્તર 80:20 રાખવું ,ફક્ત કોકોપીટમાં નહિ કરવું .
ઇન્ડોર પ્લાન્ટને મોઈશ્ચર મીડીયમ જોઈએ છે વધુ નહિ .
ક્યાં ક્યાં છોડ ઇન્ડોર માટે સારા તે માટે આપણે માહિતી આપીશું , વાંચતા રહો.
અંગ્રેજી નામ : European Radish
ઉપયોગો
*મૂળામાં વધુ પ્રમાણમાં એસ્કોબેંક એસિડ, ફોલીક એસિડ અને પોટેશિયમ હોય છે.
તેમાં વિટામીન બી-૬ વધુ પ્રમાણમાં હોય છે.
*તે ઉપરાંત રીબોફ્લેવીન, મેગ્નેશિયમ, કોપર અને કેલ્શિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે.
*યુરોપીયન રેડીશ ઘર આંગણા માટે ખુબ જ સારો છોડ છે.
*સાથી ઉપયોગી ખાદ્ય ભાગ રૂપાંતરીત મૂળ હોય છે.
*તેની છાલ વિવિધ રંગોમાં ઉપયોગમાં આવે છે,
*મૂળાના કંદને સલાડ તરીકે કાચો ખાઈ શકાય છે.
*કાચા મૂળાનો સ્વાદ કકરો અને તીખો હોય છે.
ઉપયોગઃ
મૂળાનો ઉપયોગ ભોજનમાં સલાડ તરીકે કરી શકાય છે. મૂળા ખાવાથી અનેક રોગો મટાડવામાં તથા રાહત મળે તે માટે કરી શકાય છે જેમ કે કફ, કેન્સર, ગેસ, લીવરની તફ્લીફો, કબજીયાત, ઘૂંટણનો વા, કીડનીની પથરી અને આંતરડાની તફ્લીફ જેવા રોગો માટે ઉપયોગ કરી શકાય છે.
આબોહવા:
મૂળા એ સામાન્ય રીતે ઠંડી ૠતુનો છોડ છે. સામાન્ય રીતે મૂળા એ નાના અંતરાલનો છોડ છે. યુરોપીયન રેડીશ એ આદર્શ ટૂંકા સમયગાળાનો ઠંડા પ્રદેશમાં થતો પાક છે. મૂળાનો સાથી સારો સ્વાદ અને તેનુ કદ ૧૦° થી ૧૫° સે. તાપમાનમાં સારો વિકાસ થાય છે.
કાપણી:
આ પાક વાવેતરના ર૦ થી ૩૦ દિવસ બાદ કાપણી માટે તૈયાર થઈ જાય છે.
કાપણી પછીની માવજત:
મૂળાનો સંગ્રહ ફ્રીજમાં કરવામાં આવે છે જ્યારે તેનો ઉપરનો ભાગ કાઢી નાખેલ હોય. મૂળાના પાંદડાના કારણે સંગ્રહ સમયે ભેજ અને પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે માટે પાંદડાને અલગથી સંગ્રહ કરવો જોઈએ. મૂળાને પ્લાસ્ટિકની બેગમાં વીંટાળીને ૫ થી ૭ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.
વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766
બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .
વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરો
એગ્રોનોમીસ્ટ :
લેમનગ્રાસ એક પ્રકારનું હર્બ છે. જેમાં એક અલગ પ્રકારનું તેલ હોવાથી સુગંધ આપે છે જેને આપણે ગ્રીન ટી ગ્રાસ પણ કહીએ છીએ.
ઉગાડવું ખુબ સહેલું છે .કોઈને ત્યાં તેનું થુંમડું જમીનમાંથી મૂળ સાથે ઉપાડીને તમારી ગ્રો બેગ અથવા મોટા કુંડામાં નાખી દો.
આ ગ્રીન ટી કે લેમન ગ્રાસ ને સીટ્રોનોલા લેમન ગ્રાસ પણ કહે છે. તેના પાનના થોડા કટકા ઉકળતી ચામાં નાખી મહેમાનોને અનેરી ચાની લિજ્જત આપો.
ટામેટા , મરચી , રીંગણ જેવા ફળ માં મીઠાસ અને કુદરતી સ્વાદ માટે તેને જરૂરી પોષક તત્વો જે તમારે છોડ દીઠ સાવ નજીવું આપવું જોઈએ એટલે કે સ્પૂન સપ્લીમેન્ટ રૂપે દર 15 દિવસે ફૂલો આવવાનું શરુ થાય ત્યારે આપવું જોઈએ
આ સ્પૂન સપ્લીમેન્ટ ઉચ્ચ ગુણવત્તાવાળા, સંપૂર્ણ પાણીમાં ઓગળી જાય તેવા (water-soluble) હોવાથી, તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જશે અને ખૂબ જ અસરકારક રીતે કામ કરશે.
૧. સ્પ્રે માટે (પાંદડા પર છંટકાવ)
પાંદડા પોષક તત્વો ઝડપથી શોષી લે છે પાંદડું છોડનું રસોડું છે. ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 4 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં ઓગાળીને વહેલી સવારે અથવા મોડી સાંજે આખા છોડ ઉપર છંટકાવ કરો
યોગ્ય સમય: માત્ર વહેલી સવારે (સવારે 7:30 પહેલા) અથવા મોડી સાંજે (સાંજે 6:00 પછી) જ સ્પ્રે કરવો. બપોરના કડક તડકામાં ક્યારેય સ્પ્રે ન કરવો, કારણ કે પાણીના ટીપાં નાના કાચ (બિલોરી કાચ) જેવું કામ કરે છે
કેવી રીતે છાંટવું: પાંદડા બરાબર ભીના થાય અને તેના પરથી પાણી ટપકવાનું શરૂ થાય ત્યાં સુધી સ્પ્રે કરો. પાંદડાની નીચેની બાજુએ પણ ખાસ સ્પ્રે કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં આવેલા છોડના છિદ્રો (stomata) પોષક તત્વોને સૌથી ઝડપથી શોષી લે છે.
૨. માટીમાં આપવા માટે ઝારા દ્વારા
જ્યારે કુંડાની માટીમાં અથવા મૂળની આસપાસ સીધું પ્રવાહી ખાતરનું પાણી આપવાનું હોય, ત્યારે પાંદડાના સ્પ્રે કરતાં પ્રતિ લીટર માત્રા ઓછી રાખવી પડે છે, કારણ કે મૂળ ખૂબ મોટા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો શોષી લે છે . ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 2 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં. ( 20 લીટર પાણીમાં 40 ગ્રામ )
માટી પહેલાંથી ભેજવાળી હોવી જોઈએ: ખાતરવાળું પાણી આપતા પહેલાં હંમેશા કુંડાની માટી સાદા પાણીથી થોડી ભીની (ભેજવાળી) હોવી જ જોઈએ.
નીચેથી પાણી નીકળે ત્યાં સુધી રેડો: આ મિશ્રણને છોડના થડની આસપાસ સરખી રીતે રેડો, જ્યાં સુધી કુંડાના નીચેના કાણામાંથી થોડા ટીપાં બહાર નીકળતા ન દેખાય. આનાથી આખા મૂળને સરખું પોષણ મળશે
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક અથવા gardening RKGC વહાર્ટશેપ ચેનલમાં જોડાવા 9825229966 ઉપર RKGC લખો
ઉનાળે વધુ ફૂલો લાવવા સપ્ટેમ્બર મહિનામાં પ્રુનિંગ કરવું જોઈએ અને છોડને આરામમાં મોક્લી દેવો જોઈએ તેમાં લોપીંગ શીયર થી પ્રુનિંગ કરજો .
લોપીંગ શીયર શું છે ?
લોપીંગ શીયર Lopping Shears એક મોટી ડાળીઓને ખુબ જ શાર્પ કાપવા અને ઝાડને નુકશાન ઓછું થાય તેના માટે વપરાતું પૃનીંગ ટુલ્સ છે. આંબા, ચીકુ, બોર, લીંબુ, દાડમ, જામફળના પાકમાં નિશ્ચિત સમયે ફળ લેવાની ટેકનીક 'બહારની માવજત' માટે વપરાતું આ ટુલ્સ બાગાયત/ફળઝાડ વાવતા મિત્રો માટે ખુબ ઉપયોગી ટુલ્સ છે.
લોપીંગ શીયર મજબુત લાંબા હાથ જોડેલ સ્ટીલ બ્લેડનું જોડાણ ડાળીને ખુબ જ ઓછી મહેનતે કાપે છે. હાથ લાંબા હોવાથી લીંબુ - બોરના છોડમાં કાંટાથી બચી શકાય છે. નકામી ડાળીને વખતો વખત કાપવાનું આધુનિક ટુલ્સ છે.
મોટા બાગાયત ધારકો ફાલ્કન બ્રાંડ અને શાર્પેક્ષ બ્રાંડ પસંદ કરે છે. વધુ વિગત માટે ઓથોરાઇઝ ડીસ્ટ્રીબ્યુંટર પટેલ એગ્રો સીડ્સ 9825229966
મહેંદી કટર શું છે ?
મહેંદી કટર એટલે હેજ શીયર hedge shears બાગ બગીચામાં ઉગાડેલ હેઝ ને આકર્ષક રીતે કટીંગ કરવા માટે વાપરવાનું હાથ ઓજાર છે જેમાં ૨૫૦ mm ની બ્લેડ હોય છે અને લાકડા અથવા પીવીસીની ગ્રીપ ધરાવતા હેન્ડલ હોય છે બ્લેડ આકર્ષક રીતે મહેંદી ,ડેડુનીયા, ફાઈકસ વગેરે કાપીને સુંદર આકાર આપવામાં મદદ કરે છે
લાંબો સમય સારી રહે અને સુંદર કામ આવે તેવી ફાલ્કન અને સાર્પેક્ષ બ્રાન્ડની મહેંદી કટરના ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ મો : ૯૮૨૫૨૨૯૭૬૬
પૃનીંગ શો
પ્રુનીંગ શો pruning saws એક કરવત છે, પરંતુ આ કરવતના દાતા વિશિષ્ટ છે કારણ કે તેને વ્રુક્ષની લીલી ડાળીઓને ખુબજ શાર્પ રીતે કાપવાની છે જેથી ઝાડને નુકસાન કર્યા વગર પૃનીંગ કરી શકાય છે
ફાર્મ હાઉસ નું ઝાડ ફક્ત દેખાવ માટે નથી હોતું ,ઝાડ ફળ આપે અને તંદુરસ્ત પણ રહે તેથી નકામી ડાળિયો અથવા બિન જરૂરી ડાળો કાપવી જરૂરી છે ફાલ્કન બ્રાન્ડ પૃનીંગ શો વિવિધ મોડેલમાં આવે છે આ એક સારું ગાર્ડન ઓજાર છે
પૃનીંગ શો ફોલ્ડીંગ હેન્ડલ સાથે પણ આવે છે જે ડબલ એકશન દાતા વાળી પણ પૃનીગ શો મળે છે વધુ વિગત માટે ઓથોરાઈઝ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966 ઉપર સંપર્ક કરવો
હવે ટેલીસ્કોપીંગ પૃનીંગ શો આવે છે જેનો હાથો ૬૩૮૫ mm સુધી ઉચો થઈ શકે છે અને તેમાં લગાડેલી કરવતને લીધે ઝાડની ટગલી ડાળોનું પણ પૃનીંગ કરી શકાય છે