લેન્ટેના આપણે ત્યાં તેને ગંધાતી પણ કહે છે , જંગલી જાતો તમને ખેતરની વાડોમાં જોવા મળશે
આ એક નિંદામણ છે
ડવાર્ફ જતો બગીચાની કિનારીઓ માં લગાવવામાં આવે છે
પાન બરછટ હોવાથી પશુ ખાતા નથી
સંવર્ધન :
કટકા કલમ
ફૂલ નો રંગ :
પીળા, સફેદ, લાલ, ભુરા, કેસરી
નોંધ :
કિનારીઓ,વાડ બનાવવામાં ઉપયોગી છે.
અંગ્રેજી નામ : Lettuce
વૈજ્ઞાનિક નામ Latuce sativa L.
વતન : Mediterraneam
કુળ : Composite
આ એક અગત્યનો લીફી વેજીટેબલ પાક છે. આપણે ત્યાં પાંદડાવાળી શાકભાજી સલાડ તરીકે તાંજલીયો , મેથી , લેટસ ,પાલખ ,બ્રોકોલી , લાલકોબી ,બીટની ભાજી , ડુંગળી , લસણ વગેરે બિયારણ પટેલ એગ્રોમાં 9825229766 માં મળે છે આ સિઝનમાં આપણું કોમ્યુનિટી રાજકોટ કિચન ગાડૅનિન્ગ કોમ્યુનિટી RKGC ના મેમ્બરોએ પોતાના કુંડામાં વાવ્યા છે તેમને અભિનંદન
હવામાનઃ
આ પાકને ઠંડુ હવામાન વધુ માફ્ક આવે છે. લેટ્યુસના બીજ 40થી 45 ફેરન હીટે ઝડપથી ( 4 થી 5દિવસમાંક સ્ફુરણ પામે છે. ઉષ્ણ વિસ્તારમાં બીજ તેની સ્ફુરણશક્તિ ગુમાવે છે. લેયુસની કેટલીક જાતો ઊંચા ઉષ્ણતામાને બીજની દાંડી ફૂટે છે. જેના કારણે દડા તથા પાનની ગુણવત્ત ખરાબ થાય છે.
કાપણી અને કાપણી પછી વ્યવસ્થાપન:
જ્યારે મથાળું પૂર્ણ વિકસિત થાય છે ત્યારે છોડની કાપણી કરવામાં આવે છે. સારી કાપણી કરવા માટે વરસાદ અથવા ઝાકળમાં કાપણી ટાળવી જરૂરી છે કારણ કે ફૂલેલા પાન ખૂબ જ કકરા બને છે અને હાથ લગાવતા સરળતાથી તૂટી જાય છે. રોગ અને ઈજાગ્રસ્ત પાન કાઢી ગ્રેડિંગ કરીને લેયુસને બજારમાં મોકલવામાં આવે છે.
ઉત્પાદન:
લેયુસ રેફીજરેટરમાં ૩ - ૪ અઠવાડિયા માટે સંગ્રહ કરી શકાય છે. કાપણી પહેલાં કે કાપણી પછી આઈ.બી.એ.નો ૫ - ૧૦ પી.પી.એમ.નો છંટકાવ કરવાથી લેટ્યુસની ટકાઉ શક્તિમાં સુધારો થાય છે.
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરી શકો
તમારા છોડમાં કાળી - પીળી ચુસીયા જીવાંત મોલો આવી છે ?
તમારા છોડ ઉપર સફેદ માખી આવી છે ?
પટેલ એગ્રો રાજકોટના ઉત્કૃષ્ટ ફ્લેવર વાળા
ઓર્ગનિક દેશી બીજ માંથી તંદુરસ્ત ઉત્પાદન લેવા માટે
દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ સ્પ્રે કરો
1 લીટર પાણીમાં 4 મિલી નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ + ½ ટી સ્પૂન હળવો સાબુ પાવડર .
પાંદડાં પર (ઉપર અને નીચે) દર અઠવાડિયે નિયમિત રીતે છાંટતા રહો અથવા દર 3 દિવસે સક્રિય જંતુઓ માટે સ્પ્રે બાયો પેસ્ટીસાઇડ નો સ્પ્રે કરો.
એઝારીડેક્ટિન ૧૫૦૦ પીપીએમ એ એક લીમડા આધારિત જૈવિક-જંતુનાશક છે જેમાં પ્રતિ મિલિયન (અથવા ૦.૧૫%) ૧૫૦૦ ભાગો હોય છે, જે કુદરતી જંતુ નિયંત્રણ સંયોજન છે, જેનો ઉપયોગ ચૂસનારા અને ચાવનારી જીવાતોને નિયંત્રિત કરવા માટે ખેતીમાં વ્યાપકપણે થાય છે.
વધુ વિગતમાટે પટેલ એગ્રો એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરો 9825229966
_______
છાશ પ્રોબાયોટિક્સ + વૃદ્ધિ કરવામાં મદદ કરે છે . ખાસ કરીને મીઠા લીંબડા અને ગુલાબમાં તેનો પ્રયોગ કરી શકાય .કેવી રીતે ઉપયોગ કરવો ? : માટીના સૂક્ષ્મજીવોને પ્રોત્સાહન આપવા માટે મંદ કરેલું મિશ્રણ (1:4 ગુણોત્તર) છોડ પાસે માટીમાં આપી શકાય
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ :
https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ :
https://www.facebook.com/RajkotKitchen
એગ્રોનોમીસ્ટ :
લેમનગ્રાસ એક પ્રકારનું હર્બ છે. જેમાં એક અલગ પ્રકારનું તેલ હોવાથી સુગંધ આપે છે જેને આપણે ગ્રીન ટી ગ્રાસ પણ કહીએ છીએ.
ઉગાડવું ખુબ સહેલું છે .કોઈને ત્યાં તેનું થુંમડું જમીનમાંથી મૂળ સાથે ઉપાડીને તમારી ગ્રો બેગ અથવા મોટા કુંડામાં નાખી દો.
આ ગ્રીન ટી કે લેમન ગ્રાસ ને સીટ્રોનોલા લેમન ગ્રાસ પણ કહે છે. તેના પાનના થોડા કટકા ઉકળતી ચામાં નાખી મહેમાનોને અનેરી ચાની લિજ્જત આપો.
મની પ્લાન્ટ ઓળખાતો આ પ્લાંટ ઘરમાં ઉગાડી શકતો સૌથી સામાન્ય છોડોમાંનો એક છે, તે એક સખત છોડ છે જે મોટાભાગના ઇન્ડોર પર્યાવરણીમા સારી રીતે ઉગાવી શકાય છે. તે હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરેથીલીન, ઝાયલીન અને ટોલ્યુન અને કાર્બન મોનોક્સાઈડ દૂર કરવામાં મદદ કરે છે એટલે કે આપણા ઘરનું અંદરનું વાતાવરણ શુદ્ધ કરવામાં અસરકારક છે.
મની પ્લાન્ટ કુંડા અને પાણીમાં ઉગાડી શકાય છે . કુંડામાં વધારાનું પાણી નીકળી જાય તે રીતે છિદ્રો હોવા જોઈએ એટલે કે કુંડાની નીચે વધારાનું પાણી કલેક્ટ કરતી ટ્રે રાખવી જોઈએ . કુંડ માટે પોટમીક્ષ વાપરવાથી મની પ્લાન્ટને પૂરતા પોષક તત્વો મળી રહે છે એટલે તેનો વિકાસ સારો થાય છે . મની પ્લાન્ટને ઉછેરવા મની પ્લાન્ટનો એક ડાળી અથવા એક કટકો પૂરતો છે . પ્લાન્ટ લેવા નર્સરીમાં જવાની જરૂર નથી એક બીજાને કટકા ભેટ આપીને ઉછેરી શકાય છે .
આપણી RKGC કોમ્યુનિટીના એક મિત્ર કહેછે કે મની પ્લાન્ટના પાંદડા મોટા કરવા હોય તો શું કરવું ? મની પ્લાન્ટમાં દરેક પાંદડે મૂળ ફૂટતા હોય છે તેને ફેલાવાની , હવા અને પોષણની તક મળે તો પાંદડા મોટા થાય છે આ મૂળ અને દીવાલનો સહારો મળે કે આપણે આપણા કુંડામાં મોસ ઘાસ લગાડેલ લાકડી મુકીયે કે આપણે જો પ્લાન્ટ ને દીવાલ ઉપર ચડાવવા મોસ અને નેટની ગાદી બનાવીને દીવાલમાં જડી દઈએ અને પછી તેને પાણી છાંટીને સતત ભેજ જળવાય રહે તેવું કરીયે તો થોડા મહિનામાં મની પ્લાન્ટ મૂળ મુકતા મુકતા વધશે અને તેના પાન પણ થાળી જેવડા મોટા થશે .
વધુ વિગત અને માહિતી માટે સંપર્ક 9825229966
- એન્ટીટી એ એઝોક્ષીસ્ટ્રોબિન ઉપર આધારિત જૈવિક ફૂગનાશક છે
- એન્ટીટી દરેક પ્રકારની ફૂગનું નિયંત્રણ કરે છે
- એન્ટીટી ગ્રીન લેબલ પોઇઝન ધરાવે છે તેથી સલામત છે
- એન્ટીટીનો ઉપયોગ દરેક ફૂલછોડ, ફળપાક, ખેતીના પાક, શોભાના છોડ વગેરેમાં કરી શકાય છે
- એન્ટીટી 1 લીટર પાણીમાં ફક્ત 1 મિલી મિક્સ કરી છંટકાવ કરવો
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
_______
📙 - ટેલીગ્રામ ચેનલ :
https://t.me/prohomegarden