આપણા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ના કોઈ મિત્ર પાસે વધારાનો રોપ હોય તો ફેસબુકમાં અરસ પરસ આદાન-પ્રદાન કરી હર્બ પ્લાન્ટને વહેંચો, કોઈ પાસે હર્બના રોપ તૈયાર થયા હોય અને બીજા હર્બ સામે એક્ષચેન્જ કરવા હોય તો પણ ફેસબુકના માધ્યમથી આદાન પ્રદાન કરો.
Total Pageviews

તમારા બગીચામાં વાવેલા ગુલાબ હોય કે જાસુદ કે પછી રીંગણાં કે દુધી આ બધા છોડના ફળ ઉતારવા કે છોડની નકામી ડાળી કાપવી હોય તો સાડી કતાર કે ચપ્પુનો ઉપયોગ કરવાથી છોડના ટીશ્યુ ડેમેજ થવાથી તે જગ્યાએ થી હવામાં રહેલા વનસ્પતિને લગતા બેક્ટેરિયા રોગ લાગવાની શક્યતા રહે છે. આ માટે તમારે એક હોર્ટિકલચર ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ, 12 મીમી જેવી ડાળી હોઈ તો રેગ્યુલર ફાલ્કન સિકેટર તમને ઉપયોગી થશે. બઝારમાં સિકેટર તમને પટેલ એગ્રોમાંથી મળી જશે 9825229966
જીવામૃત બનાવવાની સરળ રીત :
10 લીટર પાણી લો તેમાં
250 મિલી દેશી ગાયનું ગૌમૂત્ર ,
500 ગ્રામ દેશી ગાયનું તાજુ છાણ,
50 ગ્રામ દેશી ગોળ ,
50 ગ્રામ ચણાનો લોટ.એક મુઠી વડ કે તળાવની માટી
આ બધુ સારી રીતે હલાવી પ્લાસ્ટિક કેનમાં છાંયડે રાખો.
દિવસમાં બે વાર ઘડિયાળની દિશામાં ક્લોકવાઈઝ હલાવો . 24 થી 72 કલાક ( થોડી બદબુ આવશે તેથી જગ્યા પસંદગી ખાસ પહેલાથી કરવી ) આ રીતે રહેવા દઈ પછી ઉપયોગ કરો. બની શકે તો મિત્રોએ સાથે મળીને પોતાના કિચન ગાર્ડનની જરૂરિયાત જેટ્લુજ બનાવવું , કારણ કે જીવામૃત સાચવી શકાતું નથી.
વાપરવાની રીત :
1 લિટર પાણીમાં 100 મીલી જીવામૃત ઉમેરી હલાવી છોડ પર સ્પે કરવો તથા મૂળમાં પણ આપી શકો . એકલુ જીવામૃત સીધું છાંટવાના ઉપયોગમાં ન લેવું. ઉપર જણાવ્યા મુજબ સાદા પાણીમાં મિશ્રણ કરીને જ વાપરવું.
સારા બોન્સાઇ માટે યોગ્ય છોડની પસંદગી એ નવા નિશાળીયા માટે સૌથી મહત્વપૂર્ણ પસંદગી છે. જેમ આપણે જાણીએ છીએ કે બોન્સાઇ નું મહત્તમ કદ માત્ર ૩૦ થી ૬૦ સે.મી.ની ઊંચાઈ સુધીનું હોય છે. છોડના મૂળને સારી જગ્યા પૂરી પાડવા માટે પાત્રની ઊંડાઈ પહોળાઈ અને રોપણી માટે વપરાતા પાત્રના પ્રકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. પસંદ કરેલ છોડ પણ તે વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુસાર હોવા જોઈએ. બોન્સાઇ બનાવવા માટે મુખ્યત્વે નાના પાંદડાવાળા છોડ અને પહોળા અને મોટા આકારના પાંદડાઓ પર પ્રાધાન્ય આપવામાં આવે છે. છાલ આકર્ષક હોવી જોઈએ અને ઉપરના ભાગની સરખામણીએ તળિયે થડ જાડી હોવી જોઈએ જે પરિપકવતાનો આભાસ આપે છે. ઝાડને કુદરતી દેખાવ આપતા ઉપલી બાજુની શાખાઓ વ્યાસમાં નાની હોવી જોઈએ.
બીટએ કંદમૂળ પ્રકારનો પાક છે જે એક મીઠી, તંદુરસ્ત અને એન્ટીઓકસીડન્ટથી ભરપુર વનસ્પતિ છે. સામાન્ય રીતે, આ એન્ટીઓક્સીડન્ટ બીટના લાલ રંગદ્રવ્યની અંદર હોય છે. બીટ સરળતાથી ઊગી શકે છે
આબોહવા :
બીટ એ ઠંડી ઋતુનો પાક છે. બીટને ઠંડા વાતાવરણમાં તમામ વર્ષ દરમ્યાન સરળતાપૂર્વક સારી રીતે ઉગાડી શકાય છે. સારી ગુણવત્તાવાળા કંદ મેળવવા ર૦° થી ર૫° સે. તાપમાન અનુકૂળ છે.
આદર્શ સમયઃ
સપ્ટેમ્બર નવેમ્બર માસમાં બે છોડ વચ્ચેનું અંતર ૩૦ થી ૪૫ સે.મી. હોવું જોઈએ. બીજના અંકુરણ માટે ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. આ દરમ્યાન નિયમિત રીતે પાણી આપવું જોઈએ. જ્યારે રોપા ૩ થી ૫ સે.મી. જેટલા વધે ત્યારે ૫ થી ૧૦ સે.મી.ના અંતરે નબળા રોપાને કાઢી નાખવામાં આવે છે. જેથી એક જગ્યાએ માત્ર એક જ રોપો રહે. બીટના વાવેતરથી પરિપક્વતા સુધી પહોંચતા બે મહિના જેટલો સમય લાગે છે.
કાપણી:
બીટનો પાક ૯ થી ૧૦ અઠવાડિયામાં તૈયાર થાય છે. જ્યારે બીટનો વ્યાસ ૩ થી ૩.૫ સે.મી. જેટલો થાય ત્યારે પાન સાથે જમીનમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવે છે
બીટ ના પાનની ભાજી પણ બને છે , પાલક સાથે બીટના પાનની ભાજી બનાવી શકાય છે
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો
ટામેટા બીજ વાવ્યા પછી બે મહિના પછી ફળ બેસે, ટામેટાના છોડ માં કીટકો આવે નહિ તેના માટે આખા છોડને મચ્છરની જાળી જેવું ગ્રો કવર ચડાવી દેવું તો ટામેટીના છોડને કીટકો લાગશે નહિ, છોડની ડાળીઓને લાકડીના ટેકા સાથે બાંધતું જવું
ફળો થોડા લાલ થવા માંડે એટલે ઉપયોગમાં લઇ શકાય, ટામેટાં લીલા પણ ઉતારી શકાય થોડા દિવસ રાખોતો તે કેસરી પણ થઇ જાય પછી ઉપયોગમાં લઇ શકાય
વધુ વિગત માટે 9825229966 પટેલ એગ્રો અથવા વોટ્સએપ કરો
કુદરતની અનમોલ ભેટ કુદરતે જીવનને ધબકતું રાખવા અને છોડ , વૃક્ષ , વનસ્પતિના મૂળને મદદ કરતી એક સૂક્ષ્મ મિત્ર ફુગનું નિર્માણ કર્યું છે જે કોઈ પણ છોડના મૂળને વિકાસકારીને વધુને વધુ પોષણ મેળવે તેમાં આ મિત્ર ફૂગ મદદ કરે છે .
આ જૈવિક મિત્ર ફુગની નામ છે માઇકોરાઈઝા . કૃષિ વૈજ્ઞાનિકોએ આ મિત્ર ફુગને ફર્મેન્ટેશન દ્વારા પેદાકરીને ખેડૂતો અને કિચન ગાર્ડનિંગ કરતા પર્યાવરણ પ્રેમીઓ માટે વરદાન રૂપ બનાવીને કમાલ કરી છે ..એક કુંડામાં એક ચમચી નાખીને કુંડા ની માટીને જૈવિક રીતે ફળદ્રુપ કરીને સારા ફળો અને પાંદડા મેળવી શકાય છે . આ મિત્ર ફૂગ માઇકોરાઇઝા બધીજ જમીનમાં ઓછા વત્તા અંશે હોય છે .
વધુ માહિતી માટે 9825229766
પટેલ એગ્રો ભૂતખાના ચોક
વજન વહન કરવાની ક્ષમતા (Load Bearing Capacity):
અગાશી પર ભીની માટી અને કુંડાનું વજન વધે છે, તેથી સ્લેબ મજબૂત હોવો જોઈએ.
વોટરપ્રૂફિંગ (Waterproofing):
અગાશીમાં ભેજ ન ઉતરે તે માટે ફ્લોરિંગ પર વોટરપ્રૂફ કોટિંગ અથવા પ્લાસ્ટિક શીટ પાથરવી જરૂરી છે.
તડકાનું નિરીક્ષણ (sun light ):
દિવસના કયા ભાગમાં કેટલો તડકો આવે છે તેની નોંધ લેવી.
રસોડાના કચરાનું કામ્પોસ્ટીંગ કોણ કરી શકે ?
જેમની પાસે રસોડાનો લીલો કચરો હોય,
થોડો સમય હોય,
પર્યાવરણ બચાવવાની ધગશ હોય,
બીજાને કમ્પોસ્ટ ખાતર વહેચવાનો આનંદ લેવો હોય,
પબ્લિક સીસ્ટમને થોડી મદદ કરવાની ઈચ્છા હોય,
પોતાનું ખાતર જાતે બનાવવું હોય તે બધા
એક મોટો પાઈપ અને થોડા એરોબિક બેક્ટેરિયા અને રસોડાના રાંધ્યા વગરનો બધો કચરા માંથી ખુબ જ સહેલાઇથી ઘેર બેઠા બ્લેક ગોલ્ડ ખાતર તૈયાર કરી શકો.
સેડવવાના બેક્ટેરિયા માટે 9825229766
ડુંગળી, લસણનો ઉપયોગ કરો
ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે. તેના નાના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી. આ તૈયાર કરેલ પેસ્ટ ને પાણીમાં નાખી આ પાણીને છોડ પર સ્પે કરવાથી કીડી-મકોડા જીવાતોથી છુટકારો મળે છે.
મીઠું સોલ્ટનો ઉપયોગ કરો
લિટર પાણીમાં 1 ચમચી મીઠું ઓગાળીને છંટકાવ કરવાથી જીવાતો નું નિયંત્રણ થશે
લીમડાંની લીંબોળી નું તેલનો ઉપયોગ કરો
નીમ :જીવાત દૂર રાખશે , યુસિયા પ્રકારની જીવાતો / ઇયળોનો ઉપદ્રવ ન થાય તે માટે લીમડા ની લીંબોળી ના મીજ ને વાટી ને એક રાત પલાળી ને બનાવેલું દ્રાવણ છાંટો અથવા બઝાર માં 1500 પીપીએમનું નીમ એક્સટ્રેક મળે છે તેનો પ્રયોગ કરવો
ફુગજન્ય રોગો માટે છાસ / ગૌ મુત્રનો ઉપયોગ કરવો. આમ છતાં નિયંત્રણ ના મળે તો અમને આપની સમશ્યાનો ફોટો વોટ્સએપ થી મોકલો 9825229966
૧. ટામેટા (Tomatoes)
ટામેટા કન્ટેનર ગાર્ડનિંગ ગ્રોબેગ માટે સૌથી લોકપ્રિય છે.
કુંડાનું કદ: ઓછામાં ઓછું ૧૨ થી ૧૫ ઇંચ ઊંડું કુંડું.
સૂર્યપ્રકાશ: ૬ થી ૮ કલાક સીધો તડકો.
ખાસ સૂચના: ટામેટાના છોડને ટેકો આપવા માટે લાકડી અથવા 'કેજ' (Cages) નો ઉપયોગ કરો. પાણી હંમેશા છોડના મૂળમાં આપો, પાન પર નહીં, જેથી ફૂગ ન લાગે.
૨. મરચાં (chili )
મરચાં ગરમીમાં ખૂબ સારા થાય છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે.
કુંડાનું કદ: ૮ થી ૧૨ ઇંચનું કુંડું.
સૂર્યપ્રકાશ: ગરમ વાતાવરણ અને પૂરતો તડકો.
ખાસ સૂચના: મરચાંના છોડને માટીમાં ભેજ ગમે છે, પણ પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં. વધુ પડતું ખાતર નાખવાથી પાન વધશે પણ મરચાં ઓછા આવશે, એટલે માપમાં ખાતર આપવું.
૩. કોથમીર (Coriander)
કોથમીર રસોડામાં સૌથી વધુ વપરાતી ઔષધિ (Herb) છે.
કુંડાનું કદ: ૬ થી ૮ ઇંચ ઊંડું પણ પહોળું કુંડું.
સૂર્યપ્રકાશ: સવારનો તડકો શ્રેષ્ઠ છે. બપોરની સખત ગરમીમાં કોથમીર જલદી કરમાઈ જાય છે.
ખાસ સૂચના: કોથમીરના બીજ (આખા ધાણા) ને બે ભાગમાં તોડીને વાવવાથી તે જલ્દી ઉગે છે. તેને વારંવાર કાપતા રહો જેથી તે વધુ ઘાટી થાય.વાંઢીયુ બીજ વાવશો તો વધુ કટ મળશે. વાંઢીયુ દેશી બીજ માટે પટેલ એગ્રો 9825229966.
મેરીગોલ્ડ હાયબ્રીડના ફૂલો એક સરખા અને મનમોહક હોય છે , આને આપણે ગલગોટા કહીયે છીએ , યુનિફોર્મ આકાર ના મેરીગોલ્ડ આપણા વિસ્તાર માં આરામ થી ચોમાસા થી શિયાળા સુધી ઉગાડી શકાય છે , મેરીગોલ્ડ ને આફ્રિકન મેરીગોલ્ડ કહે છે , કેસરી, પીળા અને મિક્સ એમ વિવિધ રીતે તેનું બીજ મળે છે , તેનું બીજ વજન માં સાવ હળવું હોઈ છે અને નાનકડું હોય છે તેથી પ્રો હોમ ગાર્ડન માં જયારે વાવો ત્યારે સાવ છીછરું વાવો અને પાણી આપો ત્યારે બીજ તેની જગ્યા થી ખસી ના જાય તેની કાળજી રાખો
બીજ ઉગી ગયા પછી એકબીજા છોડ નજીક હોઈ તો તેને ફાલ્કન ટ્રાન્સપ્લાન્ટર ટુલ્સ દ્વારા મૂળ સહીત ઉપાડીને તમે બીજે ટ્રાન્સપ્લાન્ટ કરો જેથી છોડ ને પૂરતી સ્પેસ મળવા થી છોડ વધુ તંદુરસ્ત અને વધુ ફૂલો લાંબા સમય સુધી આપશે , ગ્રો બેગ, બીજ અને પોટિંગ મિક્ષચર માટે પટેલ એગ્રો નો સંપર્ક કરી શકો
છોડ, કુંડા, કુંડામાં ભરવા માટેનું મિશ્રણઃ
માટીઃ રેતીઃ પાંદડાનું ખાતર અથવા અળસિયાનું ખાતર (૧ઃ ૨ઃ ૧),
ચાળણી, ૧૦ થી ૨૨ ગેજનો કોપર વાયર, વાયર કટર, છરી અને સીકેટર , પાણી આપવાનો ડબ્બો અને ટબ, ટર્નટેબલ
૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”
બોન્સાઈ માટે કુંડા કેવા હોવા જોઈએ ? : મોટે ભાગે ટેરાકોટા અથવા સિરામિક, કદમાં છીછરા અને નાના, ચોરસ/ગોળ/લંબચોરસ/અંડાકાર આકાર, પ્રાધાન્ય અંડાકાર / લંબચોરસ.
કદના સંદર્ભમાં બોંસાઈની શ્રેણીઓ
૧. મામી - ૨” થી ૬”૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”
સક્યુલન્ટ એક ટાઈપના નાનકડા થોર કહી શકાય. ઘણીવાર તેમાં કાંટા પણ નથી હોતા આ પ્લાન્ટને બહુ મોટા કુંડુ નથી ચાલતું દા.ત. સક્યુલન્ટ ૩-૪ ઇંચ નું પહોળું થતું હોય તો તમારે પોટ પણ નાનકડું ૫-૭ ઈચનું લેવાય અને માટી સાથે તેમાં કોકોપીટ નાખો નિયમિત તેને ફીડ કરો, ચાલો તમારા બગીચામાં એક કોર્નર સક્યુલન્ટના વિવિધ છોડથી ભરી દો અને ઓછી મહેનતે બગીચો આકર્ષક બનાવો. સેક્યુલન્ટ એક માંથી અનેક થાય છે એટલે એકબીજાને આવા નાના કુંડ એક્સચેન્જ કરો કોઈને ભેટ આપો કોઈની ભેટ સ્વીકારો .
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી, ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે જેથી તેમાં જીવાત ન થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ.
બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
પાંદડાને નુકશાન કરતી જીવાતને દૂર રાખવામાટે
મરચા-લસણનો અર્ક :
મરચા-લસણનો અર્ક પાંદડાને નુકસાન કરતી જીવાત માટે ઉપયોગી છે. લસણમાં રહેલ સલ્ફર અને મરચામાં રહેલ કેપ્સીસીન જીવાતને અવરોધે છે.
તૈયાર કરવાની પદ્ધતિ : ૫૦૦ મિલી પાણીમાં બે કંદ લસણના અને 10 નંગ ખુબ તીખા લાલ કે લીલા મરચા છુંદીને કે ગ્રાઈન્ડ કરી એક રાતભર રાખી દો. સવારે બારીક કપડાથી ગાળી લો અને ત્યારબાદ તેમાં સાદા સાબુનુ ( ડીટર્જટ) દ્રાવણ થોડું ઉમેરી દો. આ પાણી સ્પે પંપથી છોડ પર છાંટવુ.
માઇક્રો ગ્રીન એટલે પોષણનો ખજાનો
છોડમાં કુદરતે શક્તિ મૂકી છે કે જયારે તેની મૂળ અંકુરણ અને શરૂઆતની બે પાંદડાની અવસ્થા હોય ત્યારે તેની પાસે કુદરતી પ્રતિકૂળતા સામે લડવાની તાકાત ધરાવતા તત્વો ભરપૂર માત્ર માં હોય છે . આ અવસ્થા વખતે તેને આપણે કાપી લઈએ અને ખોરાકમાં લઈએ તો આપણને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડંટ મળે છે અને માઈક્રો ગ્રીન ઉગાડવા સાવ સહેલા છે .
- લાલ તાંદળજો : લાલ તાંદળજો મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે જેનો ઉપયોગ વાનગી પર સુશોભન કરવા માટે થાય છે.
- બીટ : બીટ આકર્ષક ઘાટાં લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. તે વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ, ગુણધર્મો અને વિટામિનથી ભરપુર છે.
- બ્રોકોલી : બ્રોકોલી વિટામિન્સ, મિનરલ્સ, ખનીજો, પાચક રસો, પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે, તે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે.
- સુવા : સુવા નાનો સૂક્ષ્મ, પીંછાકાર પર્ણ સમૂહ ધરાવે છે. અને લિજ્જતદાર સ્વાદ આપે છે. તે કાકડી, અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે.
મૂળા , મેથી , રાયડો , સૂર્યમુખી વગેરે પણ ઉગાડી શકાય
- લાઈફ લાઈન એ સૂક્ષ્મતત્વો ઉપર આધારિત સરસ પોષણ આપતું પ્રોડકટ છે
- છોડના વૃધ્ધિ/ વિકાસમાં મદદ કરે છે
- છોડમાં ઉભી થતી સૂક્ષ્મ તત્વોની ખામીને પૂર્ણ કરે છે
- છોડને હંમેશા તરોતાજા રાખે છે
- છંટકાવ અને જમીન કે કુંડામાં પાણી સાથે આપી શકાય છે
- 1 લીટર પાણીમાં 3 મિલી લાઈફલાઈન મિક્સ કરી છંટકાવ કરવો અથવા જમીનમાં પાવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
- જમીન ( માટી ) જન્ય ફૂગના કુદરતી નિયંત્રણ માટે
- જમીન કે કુંડામાં પડેલા સેન્દ્રિય ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે
- માટીમાં ઉપયોગી સૂક્ષ્મજીવની સંખ્યા વધારવા માટે
- માટી/જમીનની ફળદ્રુપતા વધારવા માટે
- જમીનનો pH સુધારવા માટે
- ઝેર મુક્ત જમીન બનાવવા માટે
- એક સ્કવેર ફૂટ જમીનમાં માત્ર 5 ગ્રામ પાણી કે સેન્દ્રિય પદાર્થ સાથે મિક્સ કરી આપવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
આપણા RKGC કોમ્યુનિટીના અમુક મિત્રો સીધું લીમડાનું તેલ (Neem Oil) વાપરે છે તે પાણી સાથે કુદરતી રીતે ક્યારેય એકબીજામાં ભળતા નથી. જો તમે માત્ર તેલ અને પાણી ભેગા કરીને છંટકાવ કરશો, તો તેલ પાણીની સપાટી પર તરતું રહેશે. પરિણામે, કેટલાક છોડ પર માત્ર પાણી જશે, જ્યારે કેટલાક છોડ પર સીધું તેલ પડવાથી પાંદડાં બળી જવાની શક્યતા રહે છે.
આ બંનેને એકબીજામાં સારી રીતે ભેળવવા માટે ઇમલ્સિફાયર (Emulsifier) નો ઉપયોગ કરવો ફરજિયાત છે.કયું ઇમલ્સિફાયર વાપરવું?ઓર્ગેનિક ખેતીમાં તમે નીચેનામાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો:
પ્રવાહી સાબુ (Liquid Dish Soap): સૌથી સરળ અને સસ્તો વિકલ્પ (માઈલ્ડ અને કેમિકલ-ફ્રી સાબુ વધુ સારો).
અરીઠાનું પાણી (Soapnut/Ritha Liquid): જો તમારે ૧૦૦% શુદ્ધ ઓર્ગેનિક ઉપાય જોઈતો હોય, તો અરીઠાને પાણીમાં ઉકાળીને બનાવેલું પ્રવાહી ઉત્તમ ઇમલ્સિફાયર છે.
સંપૂર્ણ દ્રાવણ બનાવવાની સાચી રીત નીચે જણાવેલ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે, જેથી તેલના નાના-નાના કણો પાણીમાં સમાન રીતે ભળી જાય:
1.સાબુવાળું પાણી બનાવો:એક નાની બોટલ કે ડબ્બામાં થોડું નવશેકું (હળવું ગરમ) પાણી લો. તેમાં પ્રમાણસર ઇમલ્સિફાયર (પ્રવાહી સાબુ અથવા અરીઠાનું પાણી) ઉમેરીને બરાબર હલાવો જેથી ફીણ વળે.
2.લીમડાનું તેલ ઉમેરો:હવે આ સાબુવાળા પાણીમાં તમારું માપેલું લીમડાનું તેલ ઉમેરો.
3.મિશ્રણને બરાબર હલાવો થોડી જ વારમાં તેલ અને પાણી મિક્સ થઈને દૂધ જેવું સફેદ અને ઘટ્ટ (Milky White) પ્રવાહી બની જશે. જો મિશ્રણ દૂધ જેવું સફેદ ન થાય, તો તેમાં હજુ થોડો સાબુ ઉમેરીને ફરી હલાવો..સામાન્ય રીતે ૧ લિટર પાણીમાં ૫ મિલી (ml) લીમડાનું તેલ અને ૧ થી ૨ મિલી સાબુ વપરાય છે.
આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો નીમ 1500 પીપીએમ લઈને છંટકાવ કરો.
અંગ્રેજી નામ : Japanese Mint
જાપાની ફુદીનો (Mentha arvensis) એક ખૂબ જ અગત્યનો ઔષધિ પાક છે જેના અનેક ઔષધિય ઉપયોગો છે. ફુદીનાના પાન, ફૂલો અને પ્રકાંડ ઘણા ઉપયોગી છે. ગ્રીક અને રોમન લોકો આ છોડના ખોરાકમાં સુગંધ તથા ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. ફુદીનાનું તેલ ઘણુ જ ઉપયોગી સુગંધિત તેલ છે. જે રોજીદાં ખોરાકમાં, દવાઓ તરીકે તથા સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં વપરાય છે. ફુદીનો ઇજમેટ બનાવવા, શરદીની દવામાં, ફક સીરપ, દાંતની દવા, માં શુદ્ધી કરવા, પેટના વાયુ, સૌંદર્ય પ્રસાધનો, સુગંધીત, શરબત તથા મુખવાસની બનાવટોમાં થાય છે.
ઉછેર અને વાવણી
શાકમાર્કેટમાં થી તમે ફુદીનો લાવો ત્યારે માટી સહિતના મુલવાળા છોડ ખાસ પસંદ કરો તેના નીચેના ભાગમના મૂળ સહિતના કટકા કે ફુદીનાની ડાળી સીધી તમારા કુંડા કે ગ્રો બેગમાં વાવી શકાય છે , ઘર આંગણે ફુદીનો સરળતાથી થાય છે . ફુદીનાના છોડ ઢળેલા અને માટી સાથે અડેલા હોય તો તે સારું છે પહોળું કુંડુ ફુદીના માટે સારું .ફુદીનાનું બીજ હોતું નથી કટકા થી થાય છે .
ટેરેસ ગાર્ડન અને RKGC કમ્યુનિટીમાં ઓર્ગેનિક ખેતી કરતા મિત્રો માટે જયારે નીમ છાંટો છો ત્યારે પંપમાં પાણીનું pH લેવલ 5.5 થી 6.5 ની વચ્ચે લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બોરવેલ કે જમીનનું પાણી ઘણીવાર ક્ષારવાળું (આલ્કલાઇન) હોય છે. ઓર્ગેનિક દવાઓનું પૂરેપૂરું પરિણામ મેળવવા માટે નીચે મુજબના સસ્તા અને ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકાય:
૧. લીંબુના ફૂલ (Citric Acid): આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. કરિયાણાની દુકાને તે આસાનીથી મળી જાય છે. માત્ર થોડા દાણા (૧૫ લિટર પાણી માં અડધીથી એક ચમચી) ઉમેરવાથી pH લેવલ ઝડપથી નીચે આવી જાય છે.
૨. સફેદ સરકો (White Vinegar): રસોડામાં વપરાતો વિનેગર પણ હળવો એસિડ છે. એક લિટરના સ્પ્રે પંપમાં આશરે 1.5 મિલી જેટલો સરકો ઉમેરવાથી ફાયદો થાય છે.
૩. ખાટી છાશ અથવા જીવામૃત: ઓર્ગેનિક ખેતીમાં સારી રીતે આથો આવેલી ખાટી છાશ કે જીવામૃત પોતે હળવા એસિડિક હોય છે. તેને દ્રાવણમાં મિક્સ કરવાથી pH સુધરે છે અને છોડને વધારાનું પોષણ પણ મળે છે.
pH સેટ કરવાની સાચી રીત કોઈપણ વસ્તુ ઉમેરતી વખતે સીધી દવામાં ન નાખતા, નીચે મુજબની પદ્ધતિ અપનાવવી જેથી દ્રાવણ વધુ પડતું એસિડિક ન થઈ જાય:
1.પહેલા સાદા પાણીનું pH માપો:દવા ઉમેર્યા વગરના સાદા પાણીમાં pH પેપર (લિટમસ પેપર) બોળીને ચેક કરો કે તમારું પાણી કેટલું ક્ષારયુક્ત છે.
2.એસિડિક વસ્તુ ઉમેરો:ટાંકીના પાણીમાં અંદાજ મુજબ થોડી માત્રામાં લીંબુના ફૂલ અથવા સરકો ઉમેરીને તેને લાકડીથી બરાબર હલાવો.
3.ફરીથી માપો:ફરીથી pH પેપરથી ચેક કરો. જો કલર ચાર્ટ મુજબ pH 5.5 થી 6.5 (આછો પીળો કે લીલો રંગ) ની વચ્ચે આવી જાય, તો જ તેમાં તમારી મુખ્ય ઓર્ગેનિક દવા કે લીમડાનું તેલ (Neem Oil) મિક્સ કરો.
જો તમારા ગુલાબના છોડની વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા પાંદડા પીળા થઈ ગયા હોય અથવા ફૂલ આવવાનું બંધ થઈ ગયું હોય અથવા ફૂલો નાના કદમાં આવી રહ્યા હોય, તો તમારા છોડ પર ચોક્કસપણે સ્પૂન સપ્લીમેન્ટ ગુલાબ નો ઉપયોગ કરો. તે છોડમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, તેની સાથે તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ વધારે છે, જેના કારણે છોડ ફરીથી લીલા થવા લાગે છે અને ફરીથી ફૂલ આવવા લાગે છે.
તેનો ઉપયોગ કરતા પહેલા એક દિવસ છોડને પાણી આપવાનું બંધ કરો જેથી માટી સુકાઈ જાય. માટીને ગોડ કરી લુઝ કરો તેમાં સ્પૂન સપ્લીમેન્ટ આપી પાણી આપો ,આ પછી, 2 લિટર પાણીમાં 1 ચમચી સ્પૂન સપ્લીમેન્ટ ગુલાબ મિક્સ ફ્લાવરિંગ સ્પેશિયલ નો પાંદડા પર સ્પ્રે કરો અને આજ રીતે બે પ્રકારના સ્પૂન સપ્લીમેન્ટ આપો
રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટીની આવી બીજી ટિપ્સ માટે ફેસબુક પોસ્ટને લાઈક કરો અને આ પેજને ફોલો કરો,
Agronomist RKGC Rajkot
ટ્રાયકોડર્માં વિરીડી નામની ઉપયોગી મિત્ર ફૂગ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે , જે માટીમાં રહેલી નઠારી નુકશાનકારક ફૂગને ખાય છે. ટૂંકમાં ફૂગ- ફૂગને ખાય તેવી કુદરતી જૈવિક ફૂગનાશક છે. ખુબ ઉપયોગી મિત્ર ફંગસ છે જે મનુષ્ય ને જરા પણ હાનિ નથી કરતી .
તમારા કુંડા,ગ્રો બેગ અને બગીચા માટે ટ્રાયકોડર્માંનું નાનું પેકેટ લઇ આવો . આ મિત્ર ફૂગ નું સ્પૂન સપ્લીમેન્ટ- જૈવિક ફૂગનાશક મેળવવા પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક નો સંપર્ક કરો. 9825229966
એક ચમચી ટ્રાઈકોડર્મા એક લીટર પાણી સાથે મેળવી કુંડાને આપી દો. જૈવિક નિયંત્રણ કરો કુંડાની માટી સમૃદ્ધ બનશે .
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક યુઝર્સને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ઇન્ડોર પ્લાન્ટ ના અનેક લાભને ધ્યાનમાં રાખી આજે ઘરના ડ્રોઈંગ રૂમ અને બેડરૂમમાં
પ્લાન્ટ રાખવાનો શોખ વધ્યો છે કારણકે આવા છોડ આપણી તંદુરસ્તીને લાભ કરે છે અમુક છોડ
રાત્રે ઓક્સિજન આપતા હોવાથી ખુબ સારું પડે છે .
ઇન્ડોર પ્લાન્ટ માટે ટિપ્સ :
ઓછા પ્રકાશમાં થાય એટલે કે પરાવર્તિત પ્રકાશ તો જોઈએ જ .
દર 10 દિવસે સ્પૂન સપ્લીમેન્ટ આપવું પડે .
10 દિવસે એકવાર સૂર્ય પ્રકાશમાં પ્લાન્ટને રાખવો .
માટી અને કોકોપીટ નો ગુણોત્તર 80:20 રાખવું ,ફક્ત કોકોપીટમાં નહિ કરવું .
ઇન્ડોર પ્લાન્ટને મોઈશ્ચર મીડીયમ જોઈએ છે વધુ નહિ .
ઉપયોગો
*મૂળામાં વધુ પ્રમાણમાં એસ્કોબેંક એસિડ, ફોલીક એસિડ અને પોટેશિયમ હોય છે.
તેમાં વિટામીન બી-૬ વધુ પ્રમાણમાં હોય છે.
*તે ઉપરાંત રીબોફ્લેવીન, મેગ્નેશિયમ, કોપર અને કેલ્શિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે.
*યુરોપીયન રેડીશ ઘર આંગણા માટે ખુબ જ સારો છોડ છે.
*સાથી ઉપયોગી ખાદ્ય ભાગ રૂપાંતરીત મૂળ હોય છે.
*તેની છાલ વિવિધ રંગોમાં ઉપયોગમાં આવે છે,
*મૂળાના કંદને સલાડ તરીકે કાચો ખાઈ શકાય છે.
*કાચા મૂળાનો સ્વાદ કકરો અને તીખો હોય છે.
ઉપયોગઃ
મૂળાનો ઉપયોગ ભોજનમાં સલાડ તરીકે કરી શકાય છે. મૂળા ખાવાથી અનેક રોગો મટાડવામાં તથા રાહત મળે તે માટે કરી શકાય છે જેમ કે કફ, કેન્સર, ગેસ, લીવરની તફ્લીફો, કબજીયાત, ઘૂંટણનો વા, કીડનીની પથરી અને આંતરડાની તફ્લીફ જેવા રોગો માટે ઉપયોગ કરી શકાય છે.
આબોહવા:
મૂળા એ સામાન્ય રીતે ઠંડી ૠતુનો છોડ છે. સામાન્ય રીતે મૂળા એ નાના અંતરાલનો છોડ છે. યુરોપીયન રેડીશ એ આદર્શ ટૂંકા સમયગાળાનો ઠંડા પ્રદેશમાં થતો પાક છે. મૂળાનો સાથી સારો સ્વાદ અને તેનુ કદ ૧૦° થી ૧૫° સે. તાપમાનમાં સારો વિકાસ થાય છે.
કાપણી:
આ પાક વાવેતરના ર૦ થી ૩૦ દિવસ બાદ કાપણી માટે તૈયાર થઈ જાય છે.
કાપણી પછીની માવજત:
મૂળાનો સંગ્રહ ફ્રીજમાં કરવામાં આવે છે જ્યારે તેનો ઉપરનો ભાગ કાઢી નાખેલ હોય. મૂળાના પાંદડાના કારણે સંગ્રહ સમયે ભેજ અને પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે માટે પાંદડાને અલગથી સંગ્રહ કરવો જોઈએ. મૂળાને પ્લાસ્ટિકની બેગમાં વીંટાળીને ૫ થી ૭ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.
વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766

બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .
વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરો
એગ્રોનોમીસ્ટ :
લેમનગ્રાસ એક પ્રકારનું હર્બ છે. જેમાં એક અલગ પ્રકારનું તેલ હોવાથી સુગંધ આપે છે જેને આપણે ગ્રીન ટી ગ્રાસ પણ કહીએ છીએ.
ઉગાડવું ખુબ સહેલું છે .કોઈને ત્યાં તેનું થુંમડું જમીનમાંથી મૂળ સાથે ઉપાડીને તમારી ગ્રો બેગ અથવા મોટા કુંડામાં નાખી દો.
આ ગ્રીન ટી કે લેમન ગ્રાસ ને સીટ્રોનોલા લેમન ગ્રાસ પણ કહે છે. તેના પાનના થોડા કટકા ઉકળતી ચામાં નાખી મહેમાનોને અનેરી ચાની લિજ્જત આપો.
(૧) ઘર આંગણે ઝેર મુક્ત ફળફળાદી અને શાકભાજી ઉગાડવા એ જ સર્વોત્તમ વિકલ્પ છે.
(ર) ઝેરી અવશેષો વગરનો પ્રદુષણમુકત, તાજો, મનપસંદ આહાર ઘર આંગણે જ મેળવી શકાય છે.
(૩) ઘર આંગણા અને છતની જગ્યાનો સદઉપયોગ કરી શકાય છેે.
(૪) બાળક, યુવાન અને વૃધ્ધ બધાને પ્રકૃતિની સાથે જોડાવાનો મોકો મળે છે.
(પ) ઘર ખર્ચમાં ઘટાડો કરી શકાય તથા શાકભાજી ઉપયોગ કરી શકાય છે.


.jpg)






















Photo courtesy : google Image