કિચન ગાર્ડન માંટે વાનસ્પતિક જંતુનાશક : નીમાસ્ત્ર જાતે બનાવવાની વિધિ શું ?


ચુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગના નિયંત્રણ માટે ઉપયોગી

નિમાસ્ત્ર કેમ બનાવવું ?


નિમાસ્ત્ર બનાવવાની વિધિ


એક કાચના કે પ્લાસ્ટિક વાસણમાં

1 લિટર પાણી લો. તેમાં

50 મીલી ગૌમુત્ર અને

50 ગ્રામ ગાય નું છાણ ઉમેરો.

100 ગ્રામ લીમડાના પાનને છુંદી માવો(લુગદી) બનાવી

આ મિશ્રણમા ભેળવો. બરાબર હલાવી આ મિશ્રણ 24 કલાક ઢાંકીને આથવણ આવવા દો.


દિવસમાં ચાર- પાંચ કલાકે મિશ્રણ થોડુ હલાવતા રહેવું. તૈયાર મિશ્રણને બારીક કપડા વડે ગાળી લો. છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમા 100 મીલી નીમાસ્ત્ર મેળવી સ્પ્રે પંપમાં ભરી છોડ પર છંટકાવ કરો. યુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગ પર કામ કરશે.


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot