વરસાદ પછીની માવજત ટામેટામાં આવતા પાનના ટપકાના રોગ માટે શું છાંટવું ?








પ્રસ્ન : ગયા વર્ષે મારા ટમેટાના પ્લાન્ટમાં ઉપર મુજબના પાનના ટપકાં થઈને પછી પાછળથી બધા પાન  ખરી ગયા , આ વર્ષે મારા ટામેટાના પાન સારા રહે તે માટે શું કરવું ? 

પ્ર . તમારા ટામેટાના છોડમાં ગયા વર્ષે આવું વરસાદ પછી થયું હશે , આ ટામેટાના રોગને અર્લી બ્લાઈટ કહે છે તે ખાસ કરીને ભેજ વાળા વાતાવરણમાં વાતાવરણની ફૂગ ને લીધે થાય છે આ રોગમાં પાન ઉપર ટપકાં  પડે છે અને ટપકાની ફરતે પીળો ડાઘ પડે છે આ રોગને અટકાવવો જરૂરી છે , વરસાદ થી કે બીજા કોઈ કારણ થી પાન લાંબો સમય ભીના રહે ત્યારે આ રોગ લાગવાની  શક્યતા વધી જાય છે આ રોગના માટે ઘણી ફુગનાશક બઝારમાં મળે છે પરંતુ ઓર્ગેનિક રીતે નિયંત્રણ કરવા 
બેસીલસ સબટીલસ નામની જૈવિક ફુગનાશક અથવા કોપર પાવડરનો એક લીટર પાણીમાં 4 ગ્રામ નાખી સ્પ્રે કરી શકાય કોપર નાના પેકીંગમાં તમે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ થી મળી જશે 

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments