પાર્સલી
અંગ્રેજી નામ : Parsle
વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm
વતન : Central Mediterranean
કુળ : Apiaceae
પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે.
ઔષધિય ઉપયોગ:
> પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે.
> પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
> પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા પાચન માટે અસરકારક છે.
સાવચેતી :
પાલીમાં ઓકઝેલેટનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી શરીરમાં કેન્દ્રિત થતા સ્ફટિકીકરણ દ્વારા સ્વાસ્થય સમસ્યાઓ પેદા કરે છે. આ કારણોસર, પહેલાથી કિડની તેમજ પિતાશયની સમસ્યાઓ હોય તેવા વ્યક્તિ માટે પાર્સલીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
જમીન અને આબોહવા
પાર્સલીએ ઠંડા પ્રદેશમાં થતો પાક છે. સમશીતોષણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં પણ સારી રીતે ઉગી શકે છે.
કાપણી:
ૠતુ પ્રમાણે છોડની ઉંચાઈ ૧ર થી ૧૪ ઈચ સુધી વધી શકે છે. કાપણી છોડના એક જુથને એક હાથથી પકડી, બીજા હાથથી છરી વડે દાંડીને કાપીને કરવામાં આવે છે. કાપણી કરેલા પાંદડાઓને અલગ કરી નાના નાના બંડલ/ જુમખાઓમાં બાંધીને ટોપલીમાં ભરવામાં આવે છે. બરફ્ના ટુકડાઓને ટોપલીમાં મુકવાથી પરિવહન દરમ્યાન ગરમી તેમજ પાંદડાનો સડો થતો અટકાવી શકાય છે
0 comments