છાયામાં ઉગાડી શકાય તેવા શોભાના છોડ ક્યાં ? 




સામાન્ય રીતે જુદી જુદી જાતના છાયા માં ઉગાડી શકાય તેવા છોડ રોપીને આ કુંડાને ઘરમાં મુકી શકાય. આ છોડમાં ક્રોટોન, એરેલીયા, જુદી જુદી જાતના પામ, ડ્રેસીના, ડફનબીકીયા, ઇરેન્કીમમ, એસ્પરેગસ, મની પ્લાન્ટ, ટ્રેડસ્કેલ્શીયા, નાગફણી, કોલીયસ જુદી જુદી જાતના કેકટસ વગેરે જાતો કુંડામાં રોપી શકાય.

કુંડામાં તમે આકર્ષક માટીના કુંડા, પ્લાસ્ટિકના કુંડા અને તે પણ જુદા જુદા ઘાટના વાપરીને વિવિધતા લાવી શકો . આ દરેક કુંડામાં માં પાણીના નીતાર માટે પુરી વ્યવસ્થા કરવી ખાસ જ જરૂરી છે.


ઘરમાં રાખેલા છોડને આઠ-દસ દિવસે બહાર કાઢી આછા પાતળા તડકામાં એક બે દિવસ રાખવાથી તે તંદુરસ્ત રહેશે. હેન્ગીંગ બાસ્કેટ (શીકાં) અથવા જુદા જુદા સ્ટેન્ડમાં કુંડા ગોઠવીને ઘરમાં બગીચાની અસર ઉભી કરી શકાય.


જુદી જુદી જાતનાં ફૂલને ફ્લાવર વાઝમાં ગોઠવીને પણ શોભા શકાય . આમાં ફુલોની વિવિધતા, વાઝની વિવિધતા અને ગોઠવણીની વિવિધતા વગેરે ઉપાયોથી પણ ઘરમાં બગીચાની શોભા લાવી શકાય છે.
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments