કિચન ગાર્ડનમાં શાકભાજીમાં કાળી જીવાંત ના નિયંત્રણ માટે ઉપાય શું ?







જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી મોલોની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરીમાં ઉપર ખૂબ જ વધી જાય છે. તે આછા લીલા , કાળા અથવા સહેજ પીળા રંગની અને પાંખો વિનાની હોય છે. મોલોનું શરીર પોચું હોય છે અને આકાર લંબગોળ હોય છે. તે છોડનાં પાનની નીચેની બાજુએ ચોંટી રહી ત્યાંથી રસ ચૂસે છે, પરંતુ મોસમના અંત ભાગમાં અથવા પરિપક્વ થવા આવે ત્યારે પાંખવાળી મોલો દેખાય છે. પાંખો પારદર્શક, આગળથી લાંબી, પહોળી અને પાછળથી નાની હોય છે. 


મોલોમશી આવવાની શરૂઆત થાય ત્યારે પાક ઉપર રાખનો છંટકાવ કરવામાં આવે છે: આ રીતે કાપડની પોટલીમાં રાખ નાખીને છોડપર સતત ચાર દિવસ રાખનો છંટકાવ કરવામાં આવે છે. ખેતી કરતા ખેડૂતોનું માનવું છે કે રાખનો છંટકાવ કર્યો પછી ૨૦ દિવસ સુધી મોલોમશી જોવા મળતી નથી. ત્યાર બાદ જો મોલોમશી દેખાય તો ફરીથી રાખનો છંટકાવ કરવામાં આવે છે. આ સિવાય જો જંતુનાશક છાંટવું હોય તો ડાયમેથોએટ છાંટી શકાય 9825229966

 
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments